________________
અષ્ટ પ્રવચનમાતાઓ.
૨૯૯ शयनासननिक्षेपादानचंक्रमणेषु यः । - स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ॥४॥
અર્થ–દેવ, મનુષ્ય કે તિર્યચના કરેલા ઉપદ્રવ તથા સુધા વિગેરે પરીષહના પ્રસંગે અને તેવા પ્રસંગ વિના પણ શરીર પ્રત્યે નિરપેક્ષ ભાવરૂપ કાર્યોત્સર્ગને ભજનારા એવા સાધુને શરીરની નિશ્ચલતા અથવા કાયોગના નિરોધરૂપ શારીરિક ચેષ્ટાને ત્યાગ તેને કાયમુસિ કહેવાય છે.
વળી સુવું-બેસવું, લેવું–મૂકવું, ચાલવું કે ઉભા રહેવું વિગેરે કઈ પણ કાયિક પ્રવૃત્તિ કરતાં સ્વચ્છેદ ચેષ્ટાને ત્યાગ કરે (જયણાથી વર્તવું) તે બીજી કાયગુપ્તિ છે.
અનાદિ મહાચ્છાદિત જીવને ભૌતિક (જડ) વાસનાઓને સફળ કરવાનું સાધન મન, વચન અને કાયાના યોગ છે તેને જિનવચનના બળે વશ કર્યા વિના વાસનાઓનો વેગ રોકી શકાય તેમ નથી અને એ રોકાણ વિના નવા કર્મોના બંધથી બચવું શક્ય નથી, માટે વાસનાના બળને પિવનારી યોગેનું વશીકરણ કરવા માટે ગુપ્તિઓનું પાલન આવશ્યક છે, એનાથી નિષ્ફળ બનેલી વાસનાઓ ધીમે ધીમે મંદ પડતાં આત્માના જ્ઞાનાદિ યોગોનું બળ વધે છે અને પરિણામે વાસનાઓને ક્ષય થતાં સંયમ વિશુદ્ધ બની આત્માને વિશુદ્ધ બનાવે છે. ગુપ્તિનું પાલન રાત્રિ કે દિવસ કેઈ પણ સમયે કરવાનું છે અને સમિતિઓનું પાલન તે તે મન-વચન અને કાયાથી ચાલવું–બોલવું, વિગેરે પ્રવૃત્તિઓ કરતાં કરવાનું છે.