________________
૨૯૮
શ્રમણ ક્યિા સૂત્રસદમાં અર્થ–મને ગુપ્તિના ત્રણ પ્રકારે છે, ૧–આdરિદ્રધ્યાનના કારણ ભૂત દુષ્ટ કલ્પનાઓની પરંપરાથી મનની મુક્તિ, ૨-પરલોકમાં સુખ આપનારી, શાસ્ત્રને અનુસરતી, ધર્મધ્યાનમાં હેતુભૂત એવી માધ્યચ્યવૃત્તિમાં મનની સ્થિરતા અને ૩-શુભાશુભ સર્વ મને વ્યાપારથી રહિત ચૌદમાં ગુણ સ્થાનકવતી આત્માની યોગ નિષેધ અવસ્થાને આત્માનંદ, આ પ્રમાણે ૧--અકુશલમનને નિરોધ, ૨-કુશલ મનની પ્રવૃત્તિ અને ૩-સર્વથા મનના નિરોધ રૂપ મને ગુપ્તિ ત્રણ પ્રકારે તેના જ્ઞાતા શ્રી તીર્થ કરેદેવાએ કહેલી છે. બીજી વચનગુપ્તિ
संज्ञादिपरिहारेण, यन्मौनस्यावलम्बनम् । वागवृत्तेः संवृतिर्वा या, सा वाग्गुप्ति रिहोच्यते ॥२॥
અર્થ–મુખ, નેત્ર, બ્રકુટિ, અંગુલી વિગેરેની ચેષ્ટા અથવા ઉધરસ વિગેરેના શબ્દ, પત્થરાદિ ફેંકવું, ઉભા થવું, હુંકારે કર વિગેરેના ત્યાગપૂર્વક મૌન કરવું તે વચનગુણિને એક પ્રકાર અને સર્વથા મૌન નહિ કરતાં મુખે મુખવસ્ત્રિકાથી જયણા કરવાપૂર્વક લોક અને આગમને અનુસરતું બોલવું તે બીજો પ્રકાર, એમ વચનગુપ્તિ બે પ્રકારે છે અને ભાષા સમિતિમાં સમ્યગ વાણીની પ્રવૃત્તિ જ છે, એમ બેને ભેદ સમજો . ત્રીજી કાયગુપ્તિ–
उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः ।। स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥३॥