________________
સત્તર પ્રકારના સંયમનું સ્વરૂપ. पञ्चासवाविरमणं, पश्चिदियनिग्गहो कसायजओ। दंडत्तयस्स विरई, सत्तरसहा संजमो होइ ॥ १॥
ભાવાર્થ–સંયમ એટલે “સF=એક સાથે “રામ” કાબુ કરે--અટકવું. તેમાં હિંસા-અસત્ય-ચેરી-મૈથુન અને પરિગ્રહ એ પાંચ આશ્રાની (નવાં કર્મબન્ધનાં કારણોની) વિરતિ કરવી તે પાંચ પ્રકારે, સ્પર્શના વિગેરે પાંચ ઈન્દ્રિએને નિગ્રહ કરે અર્થાત્ તેના અનુકૂળ પ્રતિકૂળ વિષજેમાં રાગ-દ્વેષ નહિ કરવા તે પાંચ પ્રકારે, ક્રોધાદિ ચાર કષાયને જ્ય એટલે ઉદયમાં આવેલાને વશ નહિ થવું અને ઉદિત ન હોય તેને ઉત્પન્ન નહિ કરવા તે ચાર પ્રકારે અને મન-વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિરૂપી દંડેની વિરતિ એટલે નિરોધ કરે તે ત્રણ, એમ સત્તર પ્રકારે સંયમ કરી શકાય છે. અન્ય આચાર્યો તે બીજી રીતે ૧૭ પ્રકારને કહે છે, કહ્યું છે કે-- पुढविदगअगणिमारुअ-वणस्सइवितिचउपणिदिअजीवे । पेहुप्पेहपमजण-परिठवणमणोवईकाए ॥ २॥
ભાવાર્થ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ નવ પ્રકારના જીને મન, વચન અને કાયાથી સંરંભ સમારંભ અને આરંભ કરે નહિ, કરાવે નહિ અને અનુમેદવો નહિ તે નવ પ્રકારને સંયમ છે. તેમાં