________________
૨૮૫
કરણસિત્તરીમાં ઇન્દ્રિયનિષેધ પ્રત્યે રાગપરિણતીને અને અનિષ્ટ પ્રત્યે દ્વેષપરિણતિને ત્યાગ તે પાંચ પ્રકારનો ઈન્દ્રિયનિષેધ કહ્યો છે.
ઈન્દ્રિઓને ધર્મ તે તે વિષયના તે તે સ્વરૂપનું જ્ઞાન કરાવવાનું છે, તેથી એ પાંચને જ્ઞાનેન્દ્રિઓ કહી છે, એના દ્વારા આત્માને જ્ઞાન મેળવવું હિતકર છે. ઈષ્ટમાં રાગ કરે કે અનિષ્ટમાં ઢેષ કરે તે આત્માનું કર્તવ્ય નથી, અનાદિ કાળથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા તે તે વિષયનું જ્ઞાન મેળવીને મેહદયથી તેમાં રાગ-દ્વેષ કરવાથી જીવ સંસારમાં ભટકે છે, તેમાંથી બચવા માટે સંયમ છે માટે સંયમીએ ઈષ્ટ અનિષ્ટ વિષ પ્રત્યે રાગ-દ્વેષને તજવા જ જોઈએ, મોહને પરાભવ કરવા માટે જેમાં દ્વેષ થાય તેવા વિષયને સેવવા જોઈએ અને જેમાં રાગ થાય તેવા વિષને ત્યાગ કરવો જોઈએ. જડ પદાર્થોને જડ જીવન પુરતો ઉપયોગ જરૂરી છે, તેમાં રાગ-દ્વેષ થાય તે નિષ્કારણ કર્મબંધનું કારણ બને છે અને જે મેહનો નાશ કરવાનું છે તેનું પોષણ કરીને ઉલટો આત્માને પરાભવ કરે છે, માટે જિનવચનના બળે અનિત્ય પદાર્થોના સ્વરૂપને વિચારી રાગ-દ્વેષના પરાભવથી બચવા ઉદ્યમ કરે જોઈએ.
પડિલેહણ એનું વર્ણન આ ગ્રન્થમાં જુદું આપેલું છે.
અભિગ્રહ=દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અંગે ઈચ્છાને ધ કરવા માટે અભિગ્રહ (પ્રતિજ્ઞાઓ) કરવી તે આ અભિગ્રહના દ્રવ્યાદિ ચાર પ્રકારે છે.
૧-વ્યાભિગ્રહ અમુક લેપકૃત્ અથવા અલેપકૃત્ વસ્તુ સિવાયની વસ્તુ ન લેવી અથવા અમુક દ્રવ્ય (સાધન)થી વહે