SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શ્રમણ ક્રિયા સૂત્રસદર્ભ કારણ છે, આધાર છે, શણગાર છે અને બાળ જીવોને આકર્ષક હેાઈ શાસન પ્રભાવનાનું વિશિષ્ટ અંગ છે. આ તપની આરાધનાથી ઈન્દ્રિયેને વિજયે કરી શકાય છે અને પરિણામે મનને વિજય બનતાં અત્યંતર તપ પ્રગટ થાય છે તેના છ પ્રકારે આ પ્રમાણે છે. - ૧-પ્રાયશ્ચિત્ત એના આલેચના, પ્રતિકમણ, મિશ્ર, વિવેક, કાયેત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાચિત, એમ દશ પ્રકારો છે જે પ્રાયઃ ચિત્તની (આત્માન) શુદ્ધિ કરે તેને પ્રાયશ્ચિત કહેવાય છે. ૨-વિનયકશાસ્ત્રમાં વિનયના ભિન્ન ભિન્ન રીતે અનેક પ્રકારે કહ્યા છે, આત્માના પાપકર્મોને વિશેષ પ્રકારે નિયતિ દૂર કરે અથવા આત્માને વિશેષતયા ઉર્વદશામાં દોરે તે વિય કહેવાય. સર્વ ગુણની ભૂમિકા હોવાથી વિનયને મેક્ષનું મૂળ કહેલું છે. એટલું જ નહિ શિષ્યને શાસ્ત્રમાં વિનેય” નામ આપીને વિનય કરે તે સંયમનું મુખ્ય અને આવશ્યક અંગ છે એમ સૂચવ્યું છે. ૩-વૈયાવચ=એનું વર્ણન ઉપર જણાવાયું છે, તેના દશ પ્રકારે છે, તેને અપ્રતિપાતિ ગુણ કહ્યો છે, એનાથી વીર્યાતરાય વિગેરે કર્મોને ક્ષય થતાં પુણ્યસાધક અને નિર્જરાકારક નિર્મળ બળ મળે છે જેનાથી પરિષહ અને ઉપસર્ગોમાં સ્થિર બની આત્મા કઠોર કર્મોને નાશ કરતાં પરંપરાએ મોક્ષને સાધે છે. ૪-સ્વાધ્યાય=સામાન્યતયા વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ પ્રકારો સ્વાધ્યાયના છે, ગૃહસ્થને દ્રવ્ય ઉપાર્જનની જેમ સંયમીને સ્વાધ્યાય કરે એ મુખ્ય વ્યાપાર છે, સ્વાધ્યાયથી નવું નવું જ્ઞાન
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy