SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ ચરણસિત્તરીમાં તપ તપ-જેનું લક્ષણ દશવિધ યતિધર્મમાં જણાવ્યું તે બાર પ્રકારનો તપ યથાશક્ય આચરે. તે બારે પ્રકારે આ પ્રમાણે છે. 1-અનશન ત્રણ અથવા ચારે આહારને કવરૂપે ત્યાગ. -ઉદરી સુધાની અપેક્ષાએ ન્યૂન આહાર લઈ સંતુષ્ટ બનવું. ૩-વૃત્તિસંક્ષેપ દ્રવ્યની અપેક્ષાએ ન્યૂન દ્રવ્યથી નિર્વાહ કરે અર્થાત્ અલ્પદ્રવ્યથી સતિષ કરે. ૪-રસત્યાગ-સ્વાદની (રસની અપેક્ષા નહિ રાખવી અર્થાત્ વિગઈઓ (રસ)ને શક્તિ પ્રમાણે ત્યાગ કરવો. પ-કાયકલેશ લોચ વિગેરેનાં કષ્ટો પ્રસન્નભાવે સહવાં. પરિષહ ઉપસર્ગોમાં પ્રસન્નતા કેળવવી અને –સંલીનતાસાવદ્ય કાર્યોમાં કાયિક પ્રવૃત્તિ અટકાવવી. અંગોપાંગ વિગેરે અવયવોને સંકેચી રાખવાં. અનશનાદિ છ પ્રકારને આ તપ બાહ્ય એટલે લોકે દેખે તેવો અથવા કાયા દ્વારા થતું હોવાથી બાહ્ય છે. તેમાં કચ્છની અપેક્ષાએ પૂર્વ પૂર્વને તપ કઠીન છે, જેમકે અનશનમાં સર્વથા આહારનો ત્યાગ છે. ઉણોદરીમાં તેમ નથી, ઉદરીમાં અલ્પષુધા સહવાની છે, વૃત્તિસંક્ષેપમાં તેવું નથી, ઇત્યાદિ સ્વયં વિચારવું. મને વિજય માટે ઉત્તરોત્તરને તપ બલવાન આલંબન છે, કારણ કે –ઉપવાસ કરવા કરતાં ઉણોદરી કરવી તેમાં મનને વધારે જીતવું પડે છે. તેથી પણ દ્રવ્યસંક્ષેપમાં વધારે, તેનાથી વધારે રસત્યાગમાં, તેનાથી વધારે કાયલેશમાં અને સહુથી વધારે મનોવિજય સલીનતા તપમાં કરવો પડે છે. આ બાહ્યતપ ભાવ (અત્યંતર) તપનું
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy