SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ગોચરીના દોષે ૨૫૫ આંતરે મૂકેલું હોય તે આ રીતે જયણા સાચવવી. જેમકે કેઈએ શેરડીને રસ ઉકાળવા મૂક્યો હોય, અતિ ઉષ્ણ ન હોય, તેની નીચે અગ્નિ ભાજનને સ્પર્શ કરતા ન હોય, ભાજન ઉપરથી પહેલા મુખવાળું (કડાઈ જેવું) હોય, તેને ચૂલા ઉપર કદઈની ચુલીની પેઠે ચારે બાજુ માટીથી દીને સ્થિર કરેલું હોય અને વહોરાવનાર ચતુર હોય, તે જો એમાં રહેલા રસને વાડકી વિગેરેથી અદ્ધરથી લઈને આપે, વાસણના કાંઠે કે બુધે સ્પર્શ ન થવા દેતો તેવું વહોરવું કારણે કલ્પે. જે વાસણને સંઘર્ષ થાય તે સૂકમ પણ ચલન થવાથી તેની નીચે લાગેલું કાજળ નીચે અગ્નિમાં પડતાં અગ્નિકાયની વિરાધના થાય. વહેરાવતાં બિંદુ માત્ર પણ અગ્નિમાં પડે તે પણ અગ્નિકાયની વિરાધના થાય, ઈત્યાદિ બુદ્ધિથી વિચારી વિરાધના ન થાય તે રીતે વહેરાવનાર હોય તે પણ અનિવાર્ય કારણે વહોરવું કલ્પ. એ ઉપલક્ષણથી બીજા પ્રસંગોને પણ સ્વયં સદેષ-નિર્દોષપણાને ખ્યાલ કરે. શ્રીજિનેશ્વરની આજ્ઞા છે કે સર્વત્ર નિષ્કપટભાવે વ્યવહાર કરે. બાહ્ય શુદ્ધિને જણાવવા કપટ કરનાર આત્મા પિતે ઠગાય છે. મહાવિરાધક બને છે. ૪–પિહિતં=દેવાની વસ્તુ અનાદિ સચિત્ત ફળ વિગેરેથી ઢાંકેલી હોય અર્થાત્ ઉપર પૃથ્વીકાયાદિ સચિત્ત મૂકેલું હોય તે પિહિત કહેવાય. તેના પણ અનંતર પિહિતા અને પરંપર પિહિત એમ બે ભેદો છે તેમાં પરંપર પિહિત હોય તે કારણે જયણાપૂર્વક લેવું ક૯પે. પસંહd=દાનમાં નહિં દેવા ગ્ય વસ્તુ પૃથ્વી
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy