SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ - “બહું જ ઈત્યાદિ હું ભેગરાજ (ઉગ્રસેન રાજા)ની પુત્રી છું અને તમે અંધકવૃણિ (સમુદ્ર વિજયરાજા)ના પુત્ર છે, માટે આવા ઉત્તમ કુળમાં જન્મેલા આપણે ગંધન (જાતિના નાગ જેવા) થવું ન જોઈએ અર્થાત્ વમેલા લેગેની ઈચ્છા પણ ન કરવી જોઈએ. માટે નિભૂત થઈને (ઈન્દ્રિયોને કાચબાની જેમ ગોપવીને) સંયમનું પાલન કરે ! (૧૩) વળી– ‘તં” ઇત્યાદિ જે તમે જે જે સ્ત્રીઓને દેખાશે તેના પ્રત્યે “આ સ્ત્રી સુંદર છે માટે હું તેને ભેગવું એ ભાવ કરશે તે પવનથી હચમચી ગએલા મૂળ વગરના વૃક્ષની (વેલાની) જેમ અસ્થિરાત્મા (સંયમમાં અસ્થિર) બની જશે. જેમ પવનની આંધીથી મૂળ રહિત વૃક્ષ અસ્થિર બને તેમ ભેગની ઈચ્છારૂપ પવનના ઝપાટે ચઢેલું સંયમ અસ્થિર બની જશે અર્થાત્ પ્રમાદરૂપી પવનના ઝાકળે ચઢેલા તમે સંસાર સમુદ્રમાં ભમશે. (૧૪) બી” ઈત્યાદિ તે સાધ્વી શ્રીમતી રામતીનું સંગજનક તેવું વચન સાંભળીને અર્થાત્ રાજીમતીએ અંકુશથી જેમ હાથીને વશ કરે (માર્ગે લાવે, તેમ તે પુરૂષે - ત્તમ રથનેમીને એ વચન દ્વારા ધર્મમાં (સંયમમાં) સ્થાપ્યા. (સ્થિર કર્યા) (૧૫) તે પ્રમાણે— “ર્વ ઈત્યાદિ સંબુદ્ધા એટલે બુદ્ધિમાન (સમકિતી), એવા પંડિત (સમ્યજ્ઞાની) અને વિચક્ષણ (ચારિત્રના પરિ ણામવાળા) પુરૂષે ભોગથી વિરામ પામે છે અર્થાત જેમ તે
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy