SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ દ૦ સત્તર ગાથા. રમાં (અથવા પરીષહ અને ઉપસર્ગોની સામે યુદ્ધ કરવામાં) સુખી થઈશ. (૧૦) હવે સંયમ રૂપી ઘરમાંથી મનને નહિ નીકળવા દેવાને વિધિ કહે છે કે – “” ઈત્યાદિ તિર્યંચ છતાં જે અગંધન કુળમાં જન્મેલા નાગ વમેલું વિષ પુનઃ ચૂસવાને ઈચ્છતા નથી કિન્તુ તેવા પ્રસંગે દુખે જેને સ્પર્શ કરી શકાય તેવા ધગધગતા અવિનમાં પડે છે તે મનુષ્ય છતાં મેં જે ભેગે રૂપી ઝેરનું વમન કર્યું તેની પુનઃ ઈચ્છા હું કેમ કરું? (૧૧) એજ અર્થમાં બીજું ઉદાહરણ કહે છે કે-જ્યારે રામતી ઉપર રહનેમીને રાગ થયો ત્યારે તેને સમજાવવા એકદા રાજીમતીએ ખીરનું ભોજન કરી, મીંઢળના પ્રયોગથી વમન કરી, રહનેમીને કહ્યું “આ ક્ષીર છે, તેનું પાન કરે !” રહી બોલ્યા, “વમેલું કેમ પીવાય?” રાજીમતી બોલ્યાં, “તે શ્રીને મનાથજીએ વમેલી રામતીને પણ કેમ ભગવાય ?” એ પ્રસંગને જણાવે છે કે – પિત્થ૦ ઈત્યાદિકરાઇમતીએ રહનેમીને કહ્યું, “હે યશના અર્થી ક્ષત્રિય ! અથવા હે અપયશના અથી મૂર્ખ ! તમને ધિક્કાર થાઓ ! કે તમે (અસંયમ રૂ૫) જીવનને માટે વમેલું પીવાને ઈરછો છો, એમ કરવા કરતાં તે તમારે મરવું તે સારું છે.” (૧૨) એ રીતે રહનેમીને બોધ પમાડીને રાજીમતીએ દીક્ષા લીધી, રહનેમી પણ દીક્ષિત થયા. પુનઃ એકદા વર્ષાના કારણે ગુફામાં ભીજાએલાં વસ્ત્રોની જ્યણ માટે વિવસ્ત્રા બનેલી રામતીને જોઈ, જ્યારે રહનેમીને રાજીમતી ઉપર રાગ થયો ત્યારે તેમને સમજાવતાં રાજીમતીએ કહ્યું કે–
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy