SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિકસૂત્ર ૧૮૭ છે તે ગ્રંથનું નામ “વિહારકલ્પ.” ૨૬-“રવિધિ” વ્રતે, શ્રમણધર્મ, વિગેરે (આ ગ્રંથમાં જુદી કહી છે તે ચરણસિત્તરીને જણાવનાર ગ્રંથનું નામ “ચરણવિધિ. ૨૭માતુ-પ્રત્યાચન=આતુર એટલે ક્રિયામાં અશક્ત બનેલ ગ્લાન, તેનું પચ્ચકખાણ જે ગ્રંથમાં છે તે ગ્રંથનું નામ આતુર પચ્ચક્ખાણ એમાં એ વિધિ છે કે ગીતાર્થગુરૂ ક્રિયામાં ગ્લાન ને અશક્ત બનેલો જાણી, દિન દિન આહારાદિ દ્રવ્યને ઓછાં ઓછાં કરાવતાં છેલ્લે સર્વ દ્રવ્ય તરફ વૈરાગ્ય પેદા કરાવી, ભેજનની ઈચ્છાથી નિવૃત્ત થયેલા તે મહાત્મા મુનિને, અંતે ચારે આહારને ત્યાગ કરાવે વિગેરે જણાવનાર ગ્રંથ તે આતુરપચ્ચક્ખાણ સમજવો. ૨૮-“મહાપ્રત્યાક્યાનમ=મોટા પ્રત્યાખ્યાનનું વર્ણન જેમાં છે તે ગ્રન્થ, એમાં સ્થવિરકલ્પ અથવા જિનકલ્પનું પાલન કરીને અંતે સ્થવિરકલ્પિક સાધુ બાર વર્ષ સંલેખના કરીને અને જિનકલ્પિક સાધુ વિહાર કરવા છતાં યથાયોગ્ય સંલેખના કરીને, છેલ્લે-ભવચરિમનામનું મહાપચ્ચખાણ કરે, આ વિગેરે સવિસ્તર વર્ણન જણાવેલ છે જેમાં તે ગ્રન્થનું નામ “મહાપચ્ચખાણ” (એમ ઉત્કાલિક શ્રુતના ૨૮ નામે કહ્યાં તે ઉપલક્ષણ રૂપ જાણવાં અર્થાત્ એટલાં જ ઉત્કાલિક શ્રુત છે એમ નહિ સમજવું.) “સર્વસ્મિન્તરિ તસ્મિન શાહે ૩&િ =આ સર્વ પ્રકારના ઉતકાલિક શ્રુતભગવંતમાં (જે સૂત્ર અર્થ-ગ્રંથ-નિર્યુક્તિ-સંગ્રહણીથી સહિત છે તેમાં) જે ગુણે અથવા ભાવો શ્રી વીતરાગ ભગવતેએ સામાન્ય અને વિશેષ રૂપમાં કહ્યા છે, તે ભાવોને અમે શ્રદ્ધાગત કરીએ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy