________________
૧૪૪
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ હું સર્વથા પચ્ચખાણ (ત્યાગ) કરૂં છું. તે આ પ્રમાણે કોધથી, લોભથી, ભયથી અથવા હાસ્યથી (હાંસી મશ્કરી આદિ કુતૂહલથી) અને પહેલા તથા છેલ્લા કષાયો કોધ તથા લોભ કહ્યા માટે ઉપલક્ષણથી તેની વચ્ચેના માનથી તથા માયાથી પણ, એમ કોઈ હેતુથી હું સ્વયં મૃષા બેલું નહિ, બીજા દ્વારા મૃષા બોલાવું નહિ અને મૃષા બોલનારા બીજા કોઈને સારે જાણું નહિ, તે પછીને અર્થ પહેલા વત પ્રમાણે જાણ. . - આ મૃષાવાદ દ્રવ્યાદિ વિષયેની અપેક્ષાએ ચાર પ્રકારને કહ્યો છે. તે આ પ્રમાણે-૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી અને ૪ ભાવથી. તેમાં ૧ દ્રવ્યથી-જીવ–અજીવ આદિ સર્વ દ્રવ્યોમાં અને તેના તે તે ધર્મ અધર્મ આદિ ભાવો વિગેરે સર્વ વિષયમાં વિપરીત બલવાથી, રક્ષેદ્રથી-ચૌદરાજ પ્રમાણ લોકમાં અને તેની બહાર અલકમાં, અર્થાત લેક-અલકને અંગે મૃષા બોલવાથી, ૩ કાળથી (કાળ સંબંધી અથવા રાત્રે કે દિવસે) અને ૪. ભાવથી-(ક્ષાયિકાદિ ભાવેને અંગે અથવા રાગ કે દ્વેષથી), પછી અર્થ પહેલા વ્રત પ્રમાણે–
એ મૃષાવાદ હું બે, અથવા બીજા પાસે બોલાજો કે બોલનારા બીજાઓને મેં સારા માન્યા વિગેરે પહેલા વ્રતમાં કહ્યું તે પ્રમાણે-ચાવત્ સંપૂર્ણ આલાપકને અર્થ સમજી લે, જ્યાં પ્રાણાતિપાત શબ્દ છે, ત્યાં મૃષાવાદ સમજી તે પ્રમાણે અર્થ સમજ. (૨) .
હવે ત્રીજા વ્રતનું વર્ણન કરવા માટે કહે છે કે