SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાક્ષિસૂત્ર - ૧૩૯ છું–૧. અરિહતેની સાક્ષિએ, અર્થાત અરિહંતે જ્યાં સમક્ષ (પ્રત્યક્ષ મનાય તે અરિહંતની સાક્ષિપૂર્વક કહેવાય. તાત્પર્ય કે અરિહંતની સાક્ષિ માનીને, એમ ૨. સિદ્ધોની સાક્ષિએ, ૩. સાધુઓની સાક્ષિએ, ૪. દેવની સાષિએ અને ૫. મારા આત્માની સાક્ષિએ “પ” આ પ્રમાણે પચ્ચખાણથી (કરવાથી) “મવતિ મિલ્સ મિક્ષુક વા’= સાધુ અથવા સાધ્વી થાય છે, કે થાય છે? “સંતવિરત-તિત-પ્રત્યાખ્યાતાપ'=સંયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાત કર્યા છે પાપકર્મો જેણે, એવો થાય છે. તેમાં “સંવત'=સત્તર પ્રકારના સંયમથી યુક્ત, “વિત’=બાર પ્રકારના તપમાં વિવિધ પ્રકારે રક્ત, ‘તત સ્થિતિને હાસ થવાથી ગ્રંથિભેદ દ્વારા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને વિનાશ, તથા “પચ્ચખાણ=(મિથ્યાત્વ વિગેરે કર્મબંધના) હેતુના અભાવે નિરાકૃત (દીર્ધ સ્થિતિએ ન બંધાય તેવાં) કર્યા છે જ્ઞાનાવરણીયદિ પાપકર્મોને જેણે એ, (અર્થાત સત્તર પ્રકારે સંયમયુક્ત, વિવિધ તપમાં રક્ત અને અલ્પસ્થિતિવાળાં તથા પુનઃ દીર્ધ સ્થિતિક ન બંધાય તેવાં કર્મોવાળે થાય છે. એ વાક્યમાં બે પદને કર્મધારય અને છેલ્લા ત્રણ પદોને બહુવ્રીહિ સમાસ કરવાપૂર્વક પુનઃ તે બેને કર્મધારય સમાસ કરે. તે પણ કેવી કેવી અવસ્થામાં કયારે કયારે તે થાય છે તે કહે છે કે–વિવા વા રાત્રી વા=દિવસે અથવા રાત્રે, અર્થાત્ સર્વ કાળે, “ વા પર્વતો ઘા =કોઈ કારણે એકાકી હોય ત્યારે અથવા સાધુઓની પર્ષદા એટલે
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy