SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ રીતે આશાતના દ્વારા, ૧૩–સ્વાધ્યાય સ્વચારિતમ્, ૧૪-arણાધિ રાજસ્થતિ =અહિં સ્વાધ્યાય એ જ વ્યાકરણના નિયમ પ્રમાણે સ્વાર્થમાં પ્રત્યય આવતાં સ્વાધ્યાયિક અને સ્વાધ્યાયિક નહિ તે અસ્વાધ્યાયિક, (એનાં કારણે રૂધિર-હાડકું વિગેરેને પણ કારણમાં કાર્યને ઉપચાર કરવા દ્વારા અસ્વાધ્યાયિક કહેવાય) તે અસ્વાધ્યાયિકનું વર્ણન આ ગ્રંથમાં આપેલું છે તે અનધ્યાય પ્રસંગે સ્વાધ્યાય કર્યો અને અધ્યાયના અભાવે સ્વાધ્યાય ન કર્યો એમ ઊભય રીતે આશાતના દ્વારા જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. એમ સર્વત્ર વાક્ય સંબંધ જેડ. એમ એક વિગેરેથી તેત્રીસ સ્થાને સુધી લાગેલા અતિચારેનું પ્રતિકમણ સૂત્રમાં કહ્યું, તે ઉપરાંત આગળ પણ સમજવું. જેમકે શ્રી જિનેશ્વરોના ચેત્રિશ અતિશયમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વિગેરેથી કરેલી આશાતના દ્વારા, બુદ્ધના પાંત્રીસ વચનાતિશામાં અશ્રદ્ધાદિ કરવા દ્વારા, ઉત્તરાધ્યયનમાં છત્રીસ અધ્યયનમાં અશ્રદ્ધાદિ કરવારૂપ આશાતના દ્વારા, યાવત્ “ તારાયુક્ત શતભિષા નક્ષત્ર હોય છે ત્યાં સુધી સમવાયાંગ સૂત્રમાં કહેલા તે તે પ્રકારેને અંગે તે તે પ્રકારની આશાતનાનું પ્રતિકમણ જાણવું. એ પ્રમાણે અતિચારેની વિશુદ્ધિ કરીને આ પ્રમાણે નમસ્કાર કરે, અથવા પૂર્વે કરેલી અશુભ સેવનાનુ (અતિચારનું) પ્રતિક્રમણ કરીને પુનઃ તેવું નહિ કરવા માટે પ્રતિકમણ કરનાર નમસ્કારપૂર્વક કહે કે
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy