________________
• બૃહદ્ યોગ તિથિ .. માંડલીનાં સાત આયંબીલની ચિા કરવાની વિધિ રોજ સવાર સાંજ ગુરુવંદન કરી આયંબીલનું અને પાણહારનું પચ્ચકખાણ કરે,
સાતમે દિવસે સાંજે વસ્તિ જોઈ ગુરુવંદન કરી, સ્થાપનાજી ખુલ્લા રાખવા. .
ખમા. ઈરિયાવહીયંથી માંડીને વસ્તિ પવેલું ? પ્રમુખ આદેશો માગી મુહપત્તિ પડિલેહિ, પછી બે વાંદણાં આપી પચ્ચખાણ કરી, પાછા બે વાંદણાં દઈ ઈચ્છા.સંદિ.ભગ. બેસણે સંદિસાઉં? ગુરુ-સંદિસહ ઈચ્છે, ખમા. ઈચ્છા.સંદિ.ભગ. બેસણે ઠાઉં ? ગુરુ-ઠાએ ઈચ્છ, ખમા.વિધિ કરતાં અવિધિ હુઓ હોય તે સÒ મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ, શિષ્ય ખમા. તિવિહેણ મલ્હેણ વંદામિ ઈચ્છા. સંદિસહ ભગવન્! સુત્ર માંડલી સંદિસાઉ? ગુરુ. સંદિસાહ, શિષ્ય
૧
માંડલીયાયોગ પૂર્ણ થયા પછી સાત માંડલીનાં આયંબીલ કરવાં તે લાગટ કરવા અથવા શક્તિના અભાવે ચાર અથવા ત્રણ લાગટ કરવાં. (વચમાં એક બેસણું થાય) તેની ક્રિયા સાતમા આયંબીલે સંધ્યા અવસરે પાણી વાપરી રહ્યા પછી કરે, અને ચાર ને ત્રણ અથવા ત્રણને ચાર કરીને સાત કરે, તેને તો ક્રિયા જેટલાં આયંબીલ કરી રહ્યા એટલે ચાર કર્યા હોય કે ત્રણ કર્યા હોય તેના છેલ્લા દિવસે સંધ્યા અવસરે ક્રિયા કરે. જેટલાં આયંબીલ કર્યા હોય તેટલાંની ક્રિયા કરે. માંડલીયા યોગમાં પ્રવેશ કરે. તે દિવસથી જઘન્ય ૧૭ દિવસે (અથવા ૧૩ દિવસ પણ) છ જીવણીઆ અધ્યયનની ક્રિયા થયા પછી વડી દીક્ષા અપાય, અને ઉત્કૃષ્ટથી જોગમાંથી નિકળ્યા તે દિવસથી છ મહિના સુધી આપી શકાય. છ માસમાં વડી દીક્ષા ન લે તો જોગ ફરીથી કરવા પડે વડી દીક્ષા લીધા પછી સાત આંબીલ કરાવાય. વડીદીક્ષાના દિવસથી સાત આયંબિલમાં પ્રવેશ ન થાય પણ બીજા દિવસથી થાય !