________________
બૃહદ્ યોમ વિધિ
ગુરુ જ્યારે જ્યારે ત્રણ નવકાર કે નંદિ આદિ પાઠ બોલી વાસક્ષેપ કરે ત્યારે ‘નિત્થારગ પારગાહોહ’ કહે અને પછી શિષ્ય ‘ઈચ્છામો અણુસટ્ઠિ', કહે.
સ્થંડિલ જાય ત્યાં સ્થંડિલ બેઠા પછી આડ પડે નહિં એમ કેટલાક કહે છે. આચાર્ય હોય તે સ્થંડિલ જાય ત્યાં સારી જગ્યામાં ઉભા રહી દાંડો થાપી ઈરિયાવહી કરી એકેક કાંકરી જોગવાળાઓને આપે કાંકરી આપનાર આચાર્ય જોગમાં હોય તો જોગવાળો બીજો આચાર્ય તેને પણ ઈરિયાવહી કરી કાંકરી આપે સ્થંડિલ જઈ પાછા ભેગા થાય ત્યારે કાંકરીઓ કાઢી નાંખે તે દરમ્યાન આડ પડે નહીં એમ કેટલાક કહે છે અને કરે પણ છે.
> પહેલે દિવસે કાલ પવેવ્યા પછી એક સજ્ઝાય પઠાવીને પછી યોગમાં પ્રવેશ કરાવી પછી નંદી વિગેરેની ક્રિયા કરાવવી. જોગ કરાવનારે પણ જોગ કરનારની માફક બન્ને વખત પડિલેહણમાં ઓઘો છોડીને પડિલેહવો જોઈએ. પવેણામાં પવેણું પવેઉં આદેશ માગી ખમા. દેઈ ઈચ્છકારી ભગવન્ ! તુમાં અમાં શ્રી યોગ ઉખવાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી કાઉસગ્ગ કરાવણી જોગ દિન પેસરાવણી (આ ઠેકાણે અન્ય દિવસોમાં દિન પેસરાવણી બોલવું) આટલો પાઠ પહેલે પ્રવેશને દિવસે જ બોલવો પણ હંમેશા નહીં. યોગમાંથી નિકલે તે દિવસે શ્રી યોગ નિખેવાવણી વાસ દેવ.કાઉ. પરિમિત વિગય વિસર્જાવણી પાલી પારણું કરશું એમ બોલવું.
(૧૨૨)