________________
.... બૃહદ્ યોગ વિધિ .... યુદ્ધ, ધુલેટી પર્વ, ગાઢઆગ વગેરે શાંત ન થાય ત્યાં સુધી, દંડિક મરણે બીજો બેસે નહિ ત્યાં સુધી અસક્ઝાય. ધુમસ સંયમઘાતિ હોઈ ઉન્મેષ અને શ્વાસોશ્વાસ સિવાય બીજી ક્રિયા ન થાય. બારણા બંધ રાખી કામળી ઓઢીને બેસી રહેવું
જોઈએ. ૭. ધડહડ અને ભૂમિકંપ, માંસ અને રૂધિર વૃષ્ટિએ ૮ પ્રહર, ગામનો
ભોજિક આદિ મરે તો, વસતિ અથવા સાત ઘરમાં કોઈ મરે
તો અહોરાત્ર અસક્ઝાય. ૮. હોળી લાગે ત્યાંથી ધૂળ ઉડે ત્યાં સુધી અસક્ઝાય. ૯. તિર્યંચનું લોહી, માંસ, ચામ, હાડકાં ૬૦ હાથમાં હોય તો પડ્યા
પછી ત્રણ પ્રહોર અસક્ઝાય. ઉદ્ધર્યોથી પણ ન સૂજે. પણ જ્યાં લોહી પડ્યું હોય તે સ્થાન ધોઈને સાફ કરી પાણી ૬૦ હાથની
બહાર પાઠવે તો અસક્ઝાય નહિ. ૧૦. ઈંડું ભાંગ્યું હોય, સ્ત્રીતીર્યચની પ્રસૂતિ થઈ કે જરાજ પડી હોય
: તો ત્રણ પ્રહર અસક્ઝાય. ૧૧. મનુષ્યનું લોહી માખીના પગ જેટલું પણ ભૂમીએ અગર વસ્ત્ર
ઉપર પડેલું હોય તો અહોરાત્રી, તે અસક્ઝાય બીજા દિવસના સૂર્યોદયે પૂરી થઈ જાય એટલે પ્રભાતમાં પડેલું સૂર્યોદયે શુદ્ધ
થાય. ૧૨. સ્ત્રીના સ્વાભાવિક ઋતુમાં ૩ દિવસ અસક્ઝાય ત્યાર પછી
રૂધિર દેખાય તો રૂધિર ઓહડાવણી કરેમિ કાઉ. એક નવ. કાઉં.
૪ ૧૦૭