________________
.... બૃહદ્ યોગ વિધિ ..... ઉંદરાદિના કલેવર હોય તો આઠ પ્રહર સુધી અસક્ઝાય. ભાવથીનંદીસૂત્ર આદિ સૂત્રો જણાય નહિ. અથવા બીજી રીતે ચાર પ્રકાર જળચરાદિ તિર્યંચના રૂધિર માંસ, હાડકું અને ચામડું એ ચાર પડ્યા હોય તો અસક્ઝાય વિશેષમાં જો સાઈઠ હાથની અંદર માંસ ધોયું હોય કે પકાવ્યું હોય તો તે માંસ બહાર લઈ જવા છતાં ત્યાં અવશ્ય કોઈ અવયવો પડ્યા હોય તેથી ત્રણ પ્રહાર સુધી અસક્ઝાય ગણાય. જો તે પહેલાં વરસાદ કે પાણીથી ધોવાઈ જાય તો સ્વાધ્યાય કરી શકાય.
કોઈ ઈંડું ૬૦ હાથની અંદર પડે પણ ફુટે નહિ તો તે ઈંડું ૬૦ હાથની બહાર લઈ ગયા બાદ સ્વાધ્યાય કહ્યું પણ ઇંડું ફુટી જાય તો અને તેનો રસ જમીન ઉપર પડે તો તે રસ દૂર કર્યા પછી પ્રહર સુધી અસક્ઝાય. જો કપડા ઉપર ઈંડું ફુટ્યું હોય તો તે કપડું ૬૦ હાથ બહાર જઈને ધોઈ નાખે તો અસક્ઝાય નહિ. ઈંડાનો રસ કે રૂધિરનું માખીનો પગ ડૂબે તેટલું બિંદુ પડ્યું હોય તો અસક્ઝાય થાય.
જરાયુ રહિત હાથણી વગેરેને પ્રસવ થાય તો ત્રણ પ્રહર અસક્ઝાય. જરાયુવાળા ગાય આદિનો પ્રસવ થાય તો ઓવાળ પડ્યા પછી (દૂર કર્યા બાદ) ત્રણ પ્રહર અસક્ઝાય. રાજમાર્ગમાં તથા તે સિવાય બીજે સાઈઠ હાથની અંદર તિર્યંચનું રૂધિર આદિ પડ્યું હોય. તે ધોવાઈ જાય કે અગ્નિથી બળી જાય તો અસક્ઝાય નહિ. પણ એમને એમ પડ્યું રહે તો અસઝાય થાય.
મનુષ્ય સંબંધી - ચાર પ્રકારે. ચામડી, રૂધિર, માંસ, હાડકાં. આમાં હાડકાં સિવાય, ચામડી રૂધિર અને માંસ સો હાથની અંદર
૧૦