________________
બૃહદ્ યોમ વિધિ
વરસાદ સતત પાંચ દિવસ સુધી વરસે તો તે પછી અસ્વાધ્યાય અને ફુસીયા (ઝીણી ફરફર) સતત સાત દિવસ સુધી વરસે તો તે પછી બધું અડૂકાયમય બની જાય છે. માટે તે પછી અસ્વાધ્યાય થાય છે. (આ અસ્વાધ્યાય આર્દ્રા નક્ષત્ર બેઠા પછી અને સ્વાતિ નક્ષત્ર સુધીનો સમજવો. તે સિવાયના વખતમાં તો અલ્પ વરસાદ પડે તો પણ વરસાદ બંધ થયા પછી ત્રણ પ્રહર સુધી અસ્વાધ્યાય ગણાય છે.) આ ત્રણ પ્રકારના સંયમઘાતી વરસાદમાં સ્વાધ્યાયનો ત્યાગ દ્રવ્યાદિ ચાર ભેદે આ પ્રમાણે કહ્યો છે. દ્રવ્યથી-મહિકા, સચિત્તરજ અને વરસાદનો ત્યાગ કરવો, ક્ષેત્રથી-જે ગામ શહેરમાં વરસે ત્યાં સ્વાધ્યાયનો ત્યાગ, કાલથી-તે તે કાળ પછી જ્યાં સુધી વરસે ત્યાં સુધી તેટલો કાળ સ્વાધ્યાયનો ત્યાગ અને ભાવથી-આંખના પલકારા, અને શ્વાસોશ્વાસ સિવાયની સઘળી ચેષ્ટાનો ત્યાગ કરવો. ઉપરાંત જવું, આવવું, પડિલેહણ કરવું, બોલવું વગેરે કાયિક અને વાચિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો. બીમારી વગેરે આવશ્યક કારણ આવી પડે તો હાથ આંખ કે આંગળીના ઈશારાથી કામ લેવું, બોલવું જ પડે એમ હોય તો મુહપત્તિ (વસ્ત્ર)થી મુખ ઢાંકીને બોલવું, અને જવા આવવાની જરૂર પડે તો કામળીથી શરીર ઢાંકીને જવું આવવું.
૨-ઔત્પાતિક- રજ-ધૂળવૃષ્ટિ, માંસવૃષ્ટિ, રૂધિરવૃષ્ટિ, કેશવૃષ્ટિ પાષાણવૃષ્ટિ થાય તો અસ્વાધ્યાય. રજવૃષ્ટિ-અચિત્તરજ-ધૂળ વરસે, માંસવૃષ્ટિ-માંસના ટૂકડા આકાશમાંથી વરસે, રૂધિરવૃષ્ટિ-આકાશમાંથી રૂધિરના બિંદુઓ પડે, કેશવૃષ્ટિ-આકાશમાંથી વાળની વૃષ્ટિ પાષાણવૃષ્ટિ-કરા કે પાષાણના ટૂકડા પડે, તથા રજોદ્ઘાત-દિશાઓ
(૪)