________________
બૃહદ્ યોમ વિધિ
ધૂળવાળી હોય ત્યારે સૂત્ર ભણવું નહિ. પરંતુ બીજી સઘળીય પ્રવૃત્તિ કરી શકાય. માંસ અને રૂધિરની વૃષ્ટિ થાય તો એક અહોરાત્રી સુધી નંદી આદિ સૂત્ર ભણાય નહિ. બાકીના વખતે તે તે વૃષ્ટિ બંધ થાય ત્યારે ભણી શકાય.
રજોવૃષ્ટિ અને રજોદ્ઘાત તેમાં ઘૂમાડા જેવા આકારે સફેદ અચિત્તધૂળ વરસે તે રજોવૃષ્ટિ કહેવાય અને બધી દિશાઓ ધૂળથી છવાઈ જતાં બધે અંધકાર જેવું દેખાય તે રજોદ્ઘાત કહેવાય. આ બન્ને પવનની સાથે કે પવન વગર જ્યાં સુધી પડે ત્યાં સુધી સૂત્ર ભણવું નહિ.
૩-દેવસંબંધી - ગાંધર્વનગર, દિગ્દાહ, વિજળી ઉલ્કાપાત, ગર્જિત, ચૂપક, યક્ષાદીપ્ત વગેરે. ૧-ગાંધર્વનગર-ચક્રવર્તીઆદિના નગરના ઉત્પાતને સૂચવનાર સંધ્યા સમયે તે તે નગર ઉપર કીલ્લા, ઝરૂખા, વગેરે આકાર સહિત બીજું નગર દેખાય. તે અવશ્ય દેવકૃત હોય. ૨-દિગ્દાહ- કોઈ દિશા બળતી દેખાય, ૩. વિજળી- રેખા સહિત પ્રકાશ, ૪-ઉલ્કાપાત- તારો પડે તેમ જ પાછળ રેખાવાળી અથવા પ્રકાશયુક્ત મોટી રેખા થાય તે ૫-ગર્જિત- મેઘની ગર્જનાઅવાજ ૬. યૂપક- શુક્લ પક્ષમાં બીજ, ત્રીજ અને ચોથ ત્રણ દિવસ સુધી ચંદ્ર સંધ્યાગત હોવાથી ન દેખાય. ત્રણ દિવસ સંખ્યાની સમાપ્તિ ન સમજાયાથી કાલવેળાનો નિર્ણય ન કરી શકાય માટે પ્રાદોષિક કાળ કે સૂત્રપોરિસી ન થાય. ૭. યક્ષાદીપ્ત - એક દિશામાં આંતરે આંતરે વિજળી જેવો પ્રકાશ દેખાય.
આ ગાંધર્વનગર વગેરે થાય ત્યારે એક એક પ્રહર અસજ્ઝાય.
(૯)