SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૩૭ - આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીએ પોતાનું આયુષ્ય નિકટ જાણી ચતુર્વિધ સંઘની સમક્ષ પ્રાણીમાત્રથી ક્ષમાપના કરી અંતમાં અનશનાદિ અંતિમ આરાધના કરી સંવત ૧૨૨૩ ના દ્વિતીય ભાદરવા વદ - ૧૪ ના દિવસે સ્વર્ગે સિધાવ્યા. અંતસમયની બે ભવિષ્યવાણી અંત સમયે શ્રાવકો સમક્ષ સૂરિજીએ બે ભવિષ્યવાણી કરી હતી. (૧), મૃત્યુ પછી મારી અરથીને જ્યાં અગ્નિ સંસ્કાર કરવાનો હોય તે જ સ્થળે ઉતારજો. વચમાં ક્યાંય વિશ્રામ આપશો નહીં. (૨) બીજી ભવિષ્યવાણી એ હતી કે મારા પાર્થિવ શરીરનો અગ્નિ - સંસ્કાર કરો તે સમયે નજીકમાં દૂધથી ભરેલું પાત્ર રાખજો જેથી મારા મસ્તકમાં રહેલું પ્રભાવિક મણિરત્ન મસ્તકમાંથી નીકળી દૂધના પાત્રમાં સ્વતઃ ઊડીને પડશે. - વિશેષ : યુગપ્રધાન દાદાસાહેબ શ્રી જિનચંદ્રસૂરિજીના મસ્તકમાં અતિ કીમતી પ્રભાવિ મણિરત્ન બચપણથી જ ચમકતું દષ્ટિગોચર હતું તેથી તેમનું નામ “મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી' જગતમાં જાણીતું થયું. આજે પણ મણિધારીના નામથી જ તેમને ઓળખવામાં આવે છે. સ્વર્ગગમનથી સર્વત્ર શોકનું વાતાવરણ ૨૬ વર્ષની અતિ અલ્પ ઉંમરે ગુરુદેવના સ્વર્ગ ગમનથી સમસ્ત નગરમાં હાહાકાર મચી ગયો. સર્વત્ર શોકનું વાતાવરણ
SR No.005803
Book TitleDada Gurudev Charitra
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhashreeji
PublisherVichakshan Smruti Prakashan
Publication Year1993
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy