________________
[ ૭૩ ]
શ્રાવકે આ પ્રમાણે વાશી ખવરાવવું તેજ શરમાવા જેવું છે, પિતાના અ૯પ નુકશાનને ખાતર અસંખ્ય જીવોને વિનાશ થાય, તે, તે કબુલ કરે છે. અફસ! બંધુઓ! તેના કિપાક સમાન ફળ ચાખવાં પડશે, ત્યારે અતિ ત્રાસ થશે. માટે સમજો અને અનાદિની કુમતિને કાઢે, જેથી સુમતિના સંગથી સ્વઆત્માનું શ્રેયઃ કરી અવિચલ સુખમાં વાસ પામીએ.
૧૮ દહીં–” પ્રભાતે દૂધમાં ખટાઈ નાંખીને ] મેળવેલું દહીં સોળ પહાર પછી અભક્ષ્ય થાય અને સંધ્યા સમયે મેળવેલું દહિં બાર પહોર પછી અભક્ષ્ય થાય છે.” એમ સેન-- પ્રશ્નમાં કહ્યું છે.
એટલે દષ્ટાંત તરીકે–રવિવારની સવારે સાત આઠ કે દશ વાગ્યે મેળવણ નાંખ્યું હોય, તેને કાળ રવિવારના સૂર્ય ઉદયથી જ ગણવે, નહિ કે “દશ વાગે મેળવ્યું એટલે ત્યારપછી ૧૬ પહાર.” અથત રવિવારના અહેરાત્રિના આઠ પહાર મળી સોળ પ્રહર. .
તે દહિં મળવારના સૂર્યોદય પહેલાં વાવી નાંખવું જોઈએ. ત્યારથી સોળ પહાર તેની છાશને કાળ સમાજ, તેવી જ રીતે રવિવારના સંધ્યા સમયે કે ત્યાર પછી મેળવણ નાંખ્યું હોય તેને કાળ રવિવારના સૂર્યાસ્તથી ગણવે, એટલે રવિવારની રવિના ચાર પહોર તથા સોમવારની અહોરાત્રિના આઠ પહોર મળી બાર પહોરને કાળ જાણવે. અર્થાત્ દહી મેળવ્યા પછી બે રાત્રિનું કાળમાન જાણવું. [મેળવણુ ગમે ત્યારે નંખાય, પરંતુ સામાન્ય રીતે દુધ દેહવાના પ્રસિદ્ધ