________________
[ ૭૧ ]
તેને કાળ એ જાણ. અને જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફરે તે કાળમાન પહેલાં પણ અભક્ષ્ય થાય. ક દેઇની દુકાનની મિઠાઈ વાપરવામાં અનેક દેષ છે, તેથી ઘેર બનાવી-કરાવીને ખાવી ઉત્તમ છે. કારણ કે-કદઈ જે પાણી વાપરે, તે ગળેલા હોય કે નહિ. બીજું, તે પાણી પાઈને એઠો ખ્યાલે તે વાસણમાં બોળે, એટલે અસંખ્ય સંમૂછિમ જીવ થાય. વળી જુને માલ (સુખડ) વધેલ હેય, તેનો ભૂકો વિગેરે નવી મિઠાઈ સાથે પણ ભેળવે. લેટ વગેરે જુનો માલ વાપરે, ચાળ્યા વગર પણ વાપરે. રાત્રે આરંભ કરીને બનાવે. પરદેશી મેદો વિગેરે અભક્ષ્ય ચીજ વાપરે. ઘી હલકું-ખેરૂં પણ વાપરે લાકડાં, ચૂલે, વિગેરે પ્રમાજે કે નહિ, ચૂલા ઉપર ચંદર કયાંથી હોય? યતના વગર બનાવતા હોવાથી એકેન્દ્રિયથી માંડીને ચૌરિદ્રિય અને અસંજ્ઞી-સંમૂર્ણિમ પંચંદ્રિય સુધીના અનેક જીની સખ્ત હિંસાઓ થવા પામે છે. વિગેરે કારણેથી કંદોઈની દુકાનની મિઠાઈ કે સેવ ગાંઠીયા, બુંદી, ચવાણું પ્રમુખ પ્રાયઃ ચોમાસામાં તે કંદોઈની મિઠાઈનો અવશ્ય ત્યાગ કરે જ જોઈએ. - મિઠાઈનું કાળમાન-કાર્તિક સુદ ૧૩ કે ૧૪ સુધીમાં જે મિઠાઈ બનાવી હોય. તેને કાળ ૧૫ દિવસની જાણ. કારણ કે-તે મિઠાઈ ચોમાસાના કાળમાં બનાવી હોય છે, ફાગણ સુદ ૧૩ કે ૧૪ સુધીમાં બનાવી હોય તેને કાળ (૨૦) વીસ દિવસને ગણવે. જો કે તે મિઠાઈ શિયાળાના કાળમાં બનાવી છે, પણ ગ્રીષ્મ ઋતુમાં વાપરવાની છે, તેથી તેને ઉહાળા પ્રમાણે કાળ ગણવે. અને અશાડ સુદ ૧૩ કે ૧૪ સુધીમાં જે મિઠાઈ બનાવી હોય તેની કાળી ૧૫