________________
: ૬૩ ] થશે. માટે તેવા અભક્ષ્ય પદાર્થ મુદ્દલ વાપરવા નહિ તેમ નાતમાં કે કુટુંબી અથવા અન્યદર્શનીયને ત્યાં જમવા જતાં પણ તેવી અભક્ષ્ય વસ્તુઓને વિષસમાન સમજી સ્પર્શ પણ ન કરવા. ખાંડ વગેરેના રમકડાંની જનાવરરૂપે કરેલી ચીજે અભક્ષ્ય છે. જેમ-યશોધર રાજાએ પૂર્વે માતાની દાક્ષિણ્યતાથી અડદને કુકડે કપી મારીને માંસરૂપે તેનું ભક્ષણ કર્યું, તેથી ઉપરાઉપરી તિર્ય ચના ભવેમાં કેવા છેદન-ભેદનાદિ થયાં? માટે તે અવશ્ય વર્જવું, ધમ માતાપિતાએ આ બાબત અવશ્ય લયમાં રાખી પોતાનાં બાળકોને તેની સમજ આપવી.
૪. અમ્રતી–કલકત્તા તરફ બનાવે છે. તેને દેખાવ લગભગ જલેબીના જે જ જણાય છે. પણ અમ્રતી બનાવવામાં આવે કરે પડતો નથી. તેથી તે વસ્તુઓ દિવસના ઉપગ પૂર્વક બનાવી હોય, તે તે દિવસે વાપરવા બાધ જણાતું નથી, બીજે દિવસે તે અભક્ષ્ય થાય છે. માટે કયારે બનાવી છે? તે બાબતને નિર્ણય કરીને જ લેવી.
૫. મા –દૂધને મા જે દિવસે કર્યો તેજ દિવસે શક્ય છે. રાત્રિએ અભક્ષ્ય થાય છે. પણ જો તે માવાને ઘીમાં તળી સંતળી રાખે છે. તે રાત્રિ રહી શકે. " તેથી ડા, બરફી, જાંબુ, ઘારીપુરી, મેહનથાળ વિગેરે મિઠાઈઓ, કે જેમાં મા આવે છે, તે માવાની મિઠાઈ તુરત બનાવવી જોઈએ, અને ચાર પાંચ દિવસમાં તેની મિઠાઈ વિગેરે વાપરી નાંખવી જોઈએ. તે ઉપરાંત રાખવાથી ખાટો થઈ જવા તથા લીલફુગ પણ થઈ જવા સંભવ છે, અને તે મુજબ