________________
[ ૬૨ ]
જણાય છે. કેમકે તેમાં અસંખ્ય બેઇદ્રિય છે ઉપજે છે. તેથી તેને સર્વથા ત્યાગ કરવો. જલેબી દિવસની બનતી નથી. એમ સાંભળ્યું છે, છતાં તત્વ કેવલીગમ્ય. પણ બજારમાં જે થાય છે, તે તે રાત્રે જ આથે કરે છે. તેથી તે અભક્ષ્યજ છે, [ઉપધાન વગેરેમાં પ્રાતઃકાળે આથે કરીને જલેબીથી ભક્તિ કરવાની કેટલાક ભાવના રાખે છે, પરંતુ બધા ઉપયોગ ન રાખી શકે, તથા બાલ જી “ઉપધાન” માં પણ જલેબી વપરાય છે, એમ માનીને તેની અભક્ષ્યતાના જ્ઞાનથી વંચિત થવા સંભવ છે, તેથી તેવી પ્રવૃત્તિ પરિણામે હિતાવહ જણાતી નથી.]
૩. હલ–લીલે, સુકે, બદામ વિગેરે જાતને હલ અભક્ષ્ય છે, કારણ કે-ઘઉંના લોટને બે ત્રણ દિવસ સડાવીને તેમાંથી સાવ કાઢીને પછી બનાવે છે. તેથી તેમાં અસંખ્ય જીવ ઉત્પન્ન થાય છે. માટે તેને સર્વથા ત્યાગ કરે યુક્ત છે. દૂધીને હવે ફક્ત તે દિવસને કરેલે ભક્ષ્ય છે, બીજે દિવસે અભક્ષ્ય થાય છે. જલેબી, હલ કે જે ઘણા આરંભથી નિષ્પન્ન થાય છે, તેને અવશ્ય ત્યાગ કરે જોઈએ.
મુંબઈમાં હવે બહુ પ્રસિદ્ધ હેવાથી જેઓ ત્યાંથી સ્વવતન જાય છે, ત્યારે હલ ખાસ કરી લઈ જાય છે. પણ બંધુઓ! અનેક બેઈદ્રિયાદિક હિંસાવાળા પદાર્થ ખાવા કે ખવરાવવામાં આપણા આત્માને તેનાં કટુક ફળ ચાખવાં પડશે તે વખતે માતા, પિતા, બંધુઓ, બહેને, સ્વજન, કુટુંબી કે મિત્ર અથવા તે સ્ત્રી કે કંઈપણ તે મહાદુઃખમાંથી મુકત કરાવવા નહિ આવે, કે થતી વેદનામાંથી થોડી પણ પિતે અંગીકાર નહિ કરે. અર્થાત્ સર્વે કર્મને ભેંકતા આપણે જ આત્મા