________________
| [ પ પ ] વાસણ કે એઠવાઠ રાતવાશી ન જ રાખવા દિવસે પણ એઠું બે ઘડી પહેલાં પરઠવી દેવું. અને જે જનાવરના ઉપયોગમાં આવી જાય તો વધારે સારૂં. લાપશી, શીરો પ્રમુખ સુર્ય અસ્ત પહેલાં જે સારી રીતે ઘીમાં દાણેદાણે છુટો થાય તેવું શેકી નાંખ્યું હોય, અથવા રોટલા કે ખાખરા બંગડી જેવા આકરા શેકી નાંખ્યા હોય, તે તે વાશી ન થાય.
રાત્રે રાંધેલું પણ ખાવું યુક્ત નથી. સવારે સૂર્યનાં કિરણ ફુટ્યા પછી કે જ્યારથી નજરે જોઈને જીવની યતના પાળી શકાય, ત્યારથી ચુલાનો આરંભ નાખીને સાંજે સૂર્ય અસ્ત થયે એલવી નાંખ જોઈએ. તેજ દયાળુ શ્રાવકને આચાર છે. | પ્રકાશ મળવા લાગે ત્યારે જ ચૂલા વિગેરેને આરંભ કરવા માટે ઋતુ પ્રમાણે ચોક્કસ વખત નક્કી કરી લેવા જોઈએ.
પ્રકરણ ર જુ ચલિતરસનું સ્પષ્ટીકરણ
ચલિત રસ એટલે શું? જે વસ્તુ જે જાતની ઉત્પન્ન થયેલા, ઉપન કરેલી, કે બનાવેલી જે જે સ્વરૂપમાં જે રીતે ખાવાનાં ઉપગમાં આવી શકે, તે યથાસ્થિત રસવાળી ગણાય,
યથાસ્થિત રસ ઉત્પન્ન થયે ન હોય અથવા