SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ ] હે બંધુએ! જ્યારે આ તુચ્છ અભક્ષ્ય વસ્તુ ઉપરથી આપણે તુચ્છ મમત્વ ભાવ ઉઠશે, ત્યારે જ શાશ્વતાં અનંત સુખની લહેરીઓમાં મગ્ન થવાને સમય શીધ્ર પ્રાપ્ત થશે. - ૨૧. ચલિતરસ કહ્યું–સયું અન્ન, વાશી રોટલા, રોટલી, ભાત, દાળ, શાક, ખીચડી, શીરે, લાપસી, ભજીયાં થેપલાં, પુડલા, વડાં, નરમ પુરી, ઢોકળાં વિગેરે અનેક રસેઈ એવી હોય છે, કે જે એક રાત્રિ વ્યતીત થયા પછી વાશી થાય છે. એટલે સૂર્ય અસ્ત થયા પછી જ તે ચીજને સ્વાદ ગંધ રંગ સ્પર્શ બદલાઈ જતાં “ચલિતરસ' થવાથી અભક્ષ્ય થાય છે. મિઠાઈ વર્ષાકાળમાં સારી ઉત્તમ પ્રકારની બનાવી હોય, તે ઉત્કૃષ્ટ પંદર દિવસ, ઉન્હાળામાં વિશ દિવસ, શિયાળામાં એક માસ સુધી ભક્ષ્ય છે. અને બનાવવામાં કચાશ રહેવાથી જે તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ફરે, તે કાળના પરિમાણ પહેલાં પણ એટલે આજની બનાવેલી મિઠાઈ આજેજ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ફરવાથી અભક્ષ્ય થાય છે. શાસ્ત્રમાં જેટલો કાલ કહ્યો છે, તે વિત્યા પછી તે ચીજને ચલિત રસ થાય છે. ત્યારે અસંખ્ય બેઈદ્રિય જીવે તેમાં ઉપજે છે. તેથી શ્રાવકે રાત્રે તલમાત્ર પણ અન્નકે એઠવાડ રાખવે નહિ જે વિવેકી પતે ભાણામાં પીરસેલું કાંઈ એ ન છોડે, તથા થાળી-વાટકો ધોઈને પીએ છે, તેઓને નિમિત્તે સંમૂછિંમ પંચેન્દ્રિય મનુષ્ય અસંખ્ય ઉપજતા અટકે છે, તેથી તેને આયંબિલનપના જે લાભ મળે છે. માટે જમણવાર કરીને
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy