________________
[ પ ] સંબંધમાં થઈ ગયું છે. માટે શંકા કરવી નહીં. અને આ અભક્ષ્ય તજવા અવશ્ય ખપ કર. પણ “બીજાને ત્યાં જમવા જતાં વિદળની જયણું અને સ્વઘેર ઉપગ રાખું.” એવા નિયમોયે કાયર પુરુષ માટે છે. કોઈપણ ઠેકાણે જમવા જતાં અભક્ષ્ય વસ્તુઓ ખાવાને કદિ આગાર હોય જ નહિ. આ તે, “વહુ બી ખાના ઔર મુક્તિ મેં બી જાના તેના જેવું થયું. પણ બંધુઓ ! અને બહેનો ! એમ મુક્તિ કદી હાથ આવવાની નથી. એ તે જ્યારે આત્મવીર્ય ફેરવીશું. ત્યારે જ મુક્તિ મળવાની છે પરંતુ પુદ્ગલ સાથે જ્યાં સુધી ભાઈ-બાપને સંબંધ રાખશું, ત્યાં સુધી તે ચતુર્ગતિના ચૌટામાંથી નીકળવું તદ્દન અશકય છે. પુદ્ગલને તે સડન, પડન વિધ્વંસન થવાને સ્વભાવ જ છે. તેથી પુદ્ગલ પરથી મમત્વભાવ ઉઠાડી, હે વીરપુ! મેહરૂપી નિસો ઉતારો, પ્રમાદ દૂર કરી જાગ્રત થાઓ, અને આ મનુષ્યજન્મ સાર્થક કરો !
આજ કરશું. કાલ કરશું” એમ વિચારણા કરતાં કરતાં યમરાજના સપાટામાં એચિન્તા આવી જવાશે, જેમ–
“આઈ અચાનક કાલ તે પચી,
ગહેશે ક્યું નાહર બકરીરી.” એની માફક ફસાઈ જઈશું, માટે પાછળથી પસ્તાવું ન પડે, તે માટે સતત પ્રયાસ કરવા ઉજમાલ થાઓ !
પ્રભુજી કહી ગયા છે, કે “ક્ષણ લાખેણું જાય” તે કેમ ભૂલી જાઓ છે? તે વાકય અહર્નિશ યાદ કરી, આ ક્ષણિક અને પરિણામે દુઃખરૂપ સુખ ઉપરથી રાગ ઉઠાવી,