SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૯ ] દોષ ન લાગે, આજકાલ ઘણું લેકે અજ્ઞાનથી જેમ આવે તેમ વર્તે છે, પણ તે અયુક્ત છે. તેથી પૂર્વોક્ત વિધિ અનુસાર ઉકાળ્યા પછી જ ચણાને લોટ, મેથી પ્રમુખ દ્વિદલ મેળવાય, તે દોષ ન લાગે. ખાટા ઢોકળાને આથો કરે છે, તે માટે પણ ઉપર મુજબ પ્રથમ છાશ ગરમ કરવી જોઈએ. સ્વજનકુટુંબ, અન્ય દર્શનીય, નાત જમણવાર વિગેરે ઠેકાણે જમવા જતાં વિદલા માટે તીવ્ર ઉપગ રાખવો જોઈએ. નહિતર. સહજમાં દેષ લાગી જવાનો સંભવ છે. વળી કઢી, રાઈતુ, પ્રમુખ બનાવેલ હોય, તે ગોરસ ગરમ કર્યા પછી વિદલ નાંખ્યું હશે ? કે કેમ? તેવી શંકા પ્રથમથી જ પૂછી દૂર કરી ભક્ષ્યાભઢ્યનું નક્કી કર્યા પછી વાપરવાં. કદાચ, ઘેર પણ ગેરસ બરાબર ગરમ ન કર્યું હોય વિરતિવંતે સ્વઘેર પણ અવશ્ય ખાત્રી કર્યા પછી જ ખાવું ઉચિત છે. વળી ઘણે ખરે ઠેકાણે ગેરસ બરોબર ઉકાળવાની પ્રવૃત્તિ જોવામાં આવતી નથી, તેથી વિરતિવંતે તો ચોકકસ ખાત્રી કર્યા વગર બહેતર છે, કે તેવી વસ્તુ વાપરવી જ નહિ કે તેવા ઠેકાણે જમવા જવું પછી નહિ. કે આશા છે, કે-વિરતિવંતે તથા અન્ય શ્રાવક-શ્રાવિકાઓ હવેથી ગેરસ પૂર્વોક્ત રીતે રીતે ગરમ કરવા-કરાવવાની ખાસ સંભાળ રાખી તે મુજબ વર્તવા ઉદ્યમ કરશે. દ્વિદલ સાથે કાચું ચોરસ મળવાથી કીન્દ્રિય જીવ તરત જ ઉત્પન્ન થાય છે, તે બાગમગમ્ય છે. તેનું વિવેચન આગળ “માખણ”ના મિ. અ. ચિં ૭
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy