________________
[ પ ] દ્વિદલને સર્વથા ત્યાગ કરો. તે જિનેશ્વર મહારાજની આજ્ઞા યથાર્થ પાળી કહેવાય.
તેવા જગદ્વંદ્ય જિનેશ્વર મહારાજના વચનને અખંડિતપણે આદર કયારે આપણે કરીશું? અને અવિચલ સુખ કયારે પામીશું?
૧૮. વેંગણુ–સર્વ જાતિના રીંગણું અભક્ષ્ય છે.
કારણ કે-એક તો તેમાં બીજે બહુ હોય છે, તથા તેની ટોપીમાં સૂક્ષ્મ ત્રસ જી હોય છે. વળી તે ખાવાથી નિદ્રા વધે છે. અતિ વિકારી તથા નિર્વસ પરિણામ ઉપજાવવાવાળા છે. પિત્તાદિક રોગ પણ કરે છે, તેથી તેની સર્વ જાતિ અભક્ષ્ય છે. રીંગણની સુકવણું કરીને પણ ખાવાનો નિષેધ છે; તેથી તેને તે શીઘ્રતાથી તિલાંજલી જ દેવી. કેટલાક રોગના
૧ પુરાણાદિ અન્ય શાસ્ત્રોમાં પણ રીંગણા ખાવાનો નિષેધ
કલે છે –
"यस्तु वन्ताककालिड्गमूलकानां च भक्षकः । अन्त-काले स मूढात्मा न स्मरिष्यति मां प्रिये !"
અર્થ:- રીંગણું કોલિંગ અને મૂળા ખાનારા મૂઢ આત્માને મરણ વખતે હું યાદ આવીશ નહીં.”
વળી કહ્યું કે- “રીંગણાના શાકને ધુમાડે લાગતાં આકાશે ચાલતું વિમાન અટકે છે.”
જે પુરાણીએ ઉક્ત શાસ્ત્રને માન આપતા હોય, તો તેમાં સ્પષ્ટ રીતે નિષેધેલી વસ્તુ પોતે જ વજી દઈ, તેઓએ પિતાના શ્રોતાઓ ઉપર સજજડ દાખલો બેસાડવો જોઈએ.