________________
[૪૨] નરકના દ્વાર તુલ્ય” ગયું છે. તે માટે તેને સર્વથા ત્યાગ કરવું જોઈએ.
જે ફળમાં ખટાશ છે તે, અથવા તેવી વસ્તુમાં ભેળવેલું હોય તે અથાણું, ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય છે પરંતુ જે કેરી, લીંબુ, વિગેરેની સાથે નહિ ભેળવેલા ગુવાર, ગુદા, ડાળાં, ચીભડાં મરચાં, વિગેરેના અથાણુ-કે જેમાં ખટાઈ નથી, તે તે એક રાત્રિ વીત્યે બીજે જ દિવસે અભક્ષ્ય થાય.
કેરી કે લીંબુની સાથે આપ્યું હોય, તે ત્રણ દિવસ ખાવામાં બાધ નથી.
પણ, જે શેકેલી મેથી નાંખી હોય, તે બીજે જ દિવસે વાશી થવાથી અભક્ષ્ય છે, કારણ કે- મેથી ધાન્ય છે, તેથી મેથી, ચણને આટો કે દાળીયા નાખેલ હોય, તે તે દિવસે જ વપરાય.
વળી, જે અથાણમાં મેથી નાંખી હોય, તે કાચાં ગેરસની સાથે ખવાય નહિ.
કેરી ગુંદા, ખારેક, મરચાં વિગેરેનું સુકવેલું અથાણ બનાવે છે, તે પણ તડકા બરોબર ન દેવાયા હોય, અને લીલાશ રહેવાથી વાળ્યું વળી શકતું હોય, તે તેવું અથાણું પણ ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય થાય. “ ત્રણ તડકા દેવા તેવું કાંઈ નથી, પણ જ્યાં સુધી બંગડી જેવું સુકાય, ત્ય સુધી પાંચ સાત કે વધારે દિવસ પણ તડકા દેવા જોઈએ. તે