________________
[ ૪૧ ] કરે. કેમકે ખાવામાં થોડું આવે છે, અને જીવહિંસા ઘણી જ થાય છે. માટે બહુબીજવાળી ચીજોને સર્વથા ત્યાગ ક શ્રેષ્ઠ છે. [બહુબીજ ફળ ખાવાથી પિત્ત પ્રમુખ રોગનાં કારણ થાય છે, તથા જિન આજ્ઞા વિરુદ્ધ છે, દાડમ તથા ટીડર અભક્ષ્ય નથી. કાચાં ટમેટાને પણ રીંગણાની જાત ગણાવીને બહુબીજ શાક તરીકે વર્જન કરવાની કેટલાક મુનિ મહારાજાઓની ભલામણ છે.] - ૧૬ સંધાણ-શબ્દથી બળ અથાણું વિગેરે સમજવું. તે લાંબે વખત રાખી મુકવાનું હોય છે. તે અનેક વનસ્પતિઓનું થાય છે. જેમ કે-આંબલી, પાડલ, લીંબુ, કેરી, ગુદા, કેરડા, કરમદાં, કાકડી, ડાળાં, લીલાં મરી, ચીભડાં, મરચાનું અથાણું વિગેરે ત્રણ દિવસ ઉપરાંત અભક્ષ્ય છે. એ સર્વ અથાણાં તુચ્છ અને ત્રસ જીવની ખાણ છે, કદમૂળ [આદુ, હળદર, ગરમર, ગાજર, વાર અને માથ કે જે અનંતકાય છે. તે વસ્તુ, તથા પંચુંબર, બહુબીજ, અને બીલાં-બીલી, લીલા વાંસ વિગેરે પ્રથમથી અભક્ષ્ય રૂપે ગણાતી ચીજોનું અથાણું પણ ન જ કરાય. ચોથે દિવસે તેમાં નિશ્ચયથી. બેઇંદ્રિય જીવે ઉપજે છે. એઠે હાથે સ્પર્શ કરે, તે પંચે દ્રિય સંમૂછિમ મનુએ પણ ઉપજે. લીલા તીખા (મરી) જે મલબારથી મીઠાના પાણીમાં અથાઈને અહિં આવે છે, તે બાળ અથાણું જ છે. તેથી તે અવશ્ય વર્જવાં. તેને અહીં આવતાં ઘણાં દિવસ લાગે છે.
અન્ય દર્શનીના શાસ્ત્રમાં પણ-“બાળ અથાણું ૧. અ. ચિં. ૬