________________
[ ૧૫૨ ] આવી રીતે નિત્ય પ્રથમ શુદ્ધમાન આહાર નિગ્રંથ પૂજય મુનિમહારાજને વહરાવ્યા બાદ ઉપગપૂર્વક ભજન કરવાથી તે અમૃત સમાન ફળ આપે છે. નહિતર તેના વિષસમાન ફળે અવશ્ય ચાખવાં પડે, તે નિ:સંદેહ જાણવું. એમ સહી ભવ્ય બંધુઓ! અષ્ટપ્રવચન માતાને હૃદયમાં સ્થાન આપી આ મનુષ્યજન્મ સાર્થક કરો! જેથી અષ્ટકમનું વિદારણ કરી અલપ ભવોમાં શિવ-સંપદ્-સુખ પામીએ!
૧ શુદ્ધમાન આહારમાં પ્રથમ તો ન્યાયપાજિત દ્રવ્યનું ભજન કરવું જોઈએ. અન્યાયથી મેળવેલા ધનનો આહાર તુચ્છ છે, તેથી નીતિ અને ન્યાયપૂર્વક વ્યાપારાદિમાંથી મેળવેલ ધન હોય તેનું જ ઉત્તમ અને શુદ્ધ ભોજન છે. તે તથા શ્રાવકથી લાગતા દેશે ટાળીને જે નિર્દોષ આહાર વિહારાવવો તે શુદ્ધમાં આહાર છે, તેવી જ રીતે, ન્યાયપાર્જિત અલ્પ મુડી મા પુણિયા શ્રાવક એક દિવસ પિતે ઉપવાસ કરતા હતા, અને બીજે દિવસે તેની સ્ત્રી ઉપવાસ કરતા હતા, તેમ કરીને દરરોજ એક સાધર્મિક ભાઈની ભક્તિ કરતા હતા, આપણે પણ તેવી જ રીત ન્યાયપૂર્વક દ્રવ્ય મેળવવું ઉચિત છે, નહિતર ફૂડકપટ કરી અન્યાય માગેથી મેળવેલ દ્રવ્ય અહીં મૂકી જઈ “હાય દ્રવ્ય ? હાય દ્રવ્ય ?” કાં મૃત્યુ પામી તેના ફળ ભોગવવાં પડશે, અયાય-અનીતિ જ્યાં ત્યાં સર્વત્ર પ્રસરી રહ્યા છે. કોઈ વિરલા ન્યાય – ૨ લનારા હશે. તેનું અનુકરણ થાય તો ઉત્તમ છે [બહારના દેશોના પક્ષ ધંધાદારી હરીફોની સામે ટકી રહેવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ છે. આપણા ધંધામાં વચ્ચે પડવાનો ભયંકર અન્યાય તઆ કરી હ્યા છે. તે સ્થિતિમાં આપણા દેશી વેપારીઓને કરવી પડતી અનીતિ વિગેરે અન્યાય કેટલે ગણાય? તે વિચારવા જેવું છે.]