________________
[ ૧૨૦ ]
ખરાખી દુર કરવી જોઈએ. તે ન કરી જાણનાર અણઘડ વૈદ્યડાકટર દ્વાંત પાડી નાંખવાની સહજ ભલામણ કરે છે. સહેજ દાંતમાં કે દાઢમાં કળતર થાય કે તુરંત દર્દીને ફાસલાવીને અચાનક પાડી નાંખવાના પણ ઘણા દાખલા મળે છે. સામા ન્ય ઉપચાર કરવાથી મટી જાય તેમ હેય તે પશુ પાડી નાંખે છે. અરે ! કુદરતે ઉત્પન્ન કરેલી વસ્તુના આવી રીતે સહ જ કારણેાથી નાશ કરવા, એ કેટલી મૂર્ખતા છે! પછી તે ઉત્પન્ન કરી શકાતા જ નથી. માટે ડાહ્યા માણસાએ-મૂળ કારણા દૂર કરી જેમ બને તેમ દાંતને સાફ પણ રાખવા, અત્રે સહજ યાદી આપવા જરૂરી છે કે-કેટલાક મુનિમહારાજાએ પણ આવી રીતે વિષમાશનાદિક કારણેાને લીધે દાંતના ભેગ થાય છે ત્યારે દાંત સસ્કારના પ્રયાગમાં દેરાઇ રહ્યા છે. તેમાં પણ ડોકટરોએ ફેલાવેલી ઉપરની મેાટી ગેરસમજ કારણ અને છે, જે મુનિધર્મને દૂષણ રૂપ ગણાય, અને દાંતની વાસ્તવિક શુદ્ધિ પણ ન થાય. માટે કારણા દૂર કરવા કાળજી રાખવી સર્વોત્તમ ઉપાય છે. જેનુ પેટ ખરાબર સાફ તેને દાંતણ કરવાની પણ જરૂર નથી પડતી. એટલા સાફ દાંત અને જીભ રહે છે. જેથી ઉલ ઉતારવાની પણ જરૂર નથી પડતી. દાંત તથા જીભ સાફ કરવા પડે છે, તેટલી પેટની ખરાબી સમજવી, એવા કોઇ કોઈ મુનિએ હેાય છે, કે જેમના દાંત ચકચકિત અને મુખ શ્વાસ સુગ ંધિત હેાય છે. કારણ માત્ર એકજ કે તેમનું પેટ અને આખું શરીર યંત્ર તદ્ન વ્યવસ્થિત હોય છે. બીજા પણ ઘાટી વિગેરે મજબૂત આંધાના શરીરવાળા એવા જોવામાં આવે છે, કે વગર દાતણે પણ તેના દાંતચકચકિત