________________
પ્રતીતિ થાય છે. જેની પ્રતીતિ થાય તેની જ રુચિ ઉત્પન્ન થાય છે. પછી તેની આવનારૂપ સ્પર્શના થાય છે અને સ્પર્શના પછી પાલન અને તે પછી અનુપાલના થાય-આ જ કમ યુક્તિ અને અનુભવસંગત છે. અનુપ્રેક્ષાથી સૂત્રોનાં ઘણું રહ પ્રકટ થાય છે.
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાર્થ” એ નામને આ ગ્રંથ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ માટે અને વિશેષ કરીને નવદીક્ષિત શ્રમણ-શ્રમણી માટે તો આવશ્યક પાઠપુસ્તક જ છે. અને એ આવશ્યક કિયાનાં સૂત્રો અર્થભાવાર્થ સાથે સમજવાથી ક્રિયામાં પ્રાણ પુરાય છે. અને એવી સફળ ક્રિયા કરવાથી શ્રમણજીવનમાં આનંદને અનુભવ થાય છે. એ રીતે આ ગ્રંથ સાધુ-સાધ્વી વર્ગને માટે ખૂબ જ ઉપયોગી ને ઉપકારક છે એમાં શક નથી.
એક રીતે આ ગ્રંથ શ્રમણકિયાનાં સૂત્રોને ગ્રંથ છે, છતાં તેમાંથી જેનધમે પ્રરૂપેલ ચરણકરણનુયોગના મૌલિક પદાર્થોની ચિંતનસામગ્રી પણ મળી શકે એમ છે.
આના પઠન-પાઠનથી આવશ્યક ક્રિયાઓમાં પ્રાણનો ધબકાર અનુભવાય, તેવી શુભ કામના.
જેન ઉપાશ્રય, જૈનનગર, પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસંજીવનીમાર્ગ,
સૂરિજી મહારાજના ચરણરેણું અમદાવાદ–૭
મુનિ પ્રદ્યુમનવિજય ગણી જેઠ વદિ ૧૧, વિ. સં. ૨૦૩૭.