SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ વતુર્વર સર્ગઃ શ્રીમાન શાન્તિઃ સ્વાયામ, એવા મિષ્ટાથી વિન્યાતા यरिमश्चित्तवाससंस्थे समग्रा, नश्यन्ति द्राग दूरमापद्भुजङग्यः ॥१॥ સુવર્ણ સરખી કાયાવાળા શ્રીમાન શાંતિનાથ પ્રભુ મને વાંછિત અર્થને આપનારી કલ્યાણની શ્રેણિ આપો. તે ભગવાન ચિત્તરૂપી આવાસમાં રહેવાથી તત્કાળ સમગ્ર આપત્તિરૂપી સર્પિણીઓ દૂર નાશી જાય છે. એક વખત બેચરચકી વિગેરે સહિત શ્રીજ્યાનંદ રાજા સભામાં બેઠા હતા. તે વખતે ઉદ્યાનપાળે આવી આનંદપૂર્વક વિનંતિ કરી કે –“હે સ્વામી ! આ બેચરચકીના પિતા ચકબળ નામના જ્ઞાની ગુરૂ ઘણું પરિવાર સહિત ઉદ્યાનમાં સમવસર્યા છે.” તે સાંભળી રાજાનું શરીર અદ્વિતીય હર્ષથી વિકસ્વર થયું અને તેણે જિનશાસનની ઉન્નતિના કારણરૂપ મહાદાન તે ઉદ્યાનપાલકને આપ્યું. ખેચરચકી પણ પહેલેથી જ પરાભવાદિકવડે વૈરાગ્ય પામ્યો હતો, તેણે ગુરૂનું આગમન સાંભળી ઘેબરમાં સાકર ભળી એમ માન્યું. પછી મહા કાંતિવાળા રાજા અને ખેચરચક્રી એ બને હસ્તીપર આરૂઢ થયા, અને અંતઃપુર પરિવાર સહિત, કરોડો વિદ્યાધરેવડે પરિવરેલા, આઘેષણથી એકઠા થયેલા પૌરજનવડે આકાશ અને પૃથ્વીને વ્યાસ કરતા તથા વાજિંત્રોના નાદવડે દિશાઓને . ગજાવતા તે બન્ને રાજાઓ ગુરૂમહારાજને વંદન કરવા ગયા. ગુરૂને દૃષ્ટિએ જોયા કે તરત જ હાથીપરથી નીચે ઉતરી પાંચ પ્રકારના અભિગમને સાચવી તે બન્ને રાજાઓએ હર્ષથી ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક રૂગુમહારાજને વંદના કરી. પછી ગુરૂમહારાજની ધર્મલાભરૂપ આશીષવડે હર્ષ પામી ધર્મને વિષે શ્રદ્ધાવાળા તે ખેચરેંદ્ર અને નરેદ્ર બને ઉચિતપણે ગુરૂમહારાજની સન્મુખ બેઠા. તેમજ બીજા સર્વે વિદ્યાધર પણ એજ રીતે બેદનો નાશ કરનાર ગુરૂમહારાજને વંદના કરી તેમની આપેલી ધર્મલાભની આશીષવડે આનંદ પામી ગ્ય સ્થાને બેઠા. ત્યારપછી સમગ્ર સભા ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાવાળા ગુરૂમહારાજે મોક્ષસુખના હેતભૂત અને સંસારરૂપી પર્વતને ભેદવામાં વજી સમાન આ પ્રમાણે ધર્મોપદેશ કર્યો– જ.-૫૪
SR No.005794
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Dharmopkaran Samstha
Publication Year1966
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy