________________
શ્રી જયાનંદ કેવળી ચરિત્ર મોટું દેખાડી શકીએ ? ” શ્રાવકે કહ્યું–“તે મુનિ કેઈના દેષને જોનારા જ નથી, તેથી તેમની પાસે આવવામાં લજા શા માટે રાખે છે ? ” તે પછી તે સર્વેએ ઉદ્યાનમાં જઈ તે મુનિને ભક્તિથી વંદના કરી. મુનિએ તેમને ધર્મલાભ રૂપ આશીષ આપી. પછી મંત્રીએ બે હાથ જોડી નમ્રતાથી કહ્યું કે-“હે પૂજ્ય ! અમે અજ્ઞાનને લીધે આપને જે અપરાધ કર્યો છે, તે આપ ક્ષમા કરે. મુનિઓ ક્રોધ પામ્યા હોય તો તે પિતાના તેજવડે કરે મનુષ્યને બાળી શકે છે, પરંતુ અમે તે મૂઢ અને દીન છીએ, તેથી હે કૃપાનિધિ ! અમારા પર કૃપા કરે.”
પછી તે મંત્રીની બને પ્રિયાઓ પણ અત્યંત પશ્ચાત્તાપ અને ભયથી આકુળવ્યાકુળ થઈ પિતાના આત્માની નિંદા કરતી તે મુનિને ભક્તિથી વંદના કરી ખમાવવા લાગી. મુનિ બેલ્યા કે “મારા મનમાં કાંઈ પણ કેપ નથી તેથી, તમને મારાથી જરા પણ ભય નથી. પરંતુ તમે દષ્ટિનું અને શુદ્ધિનું તાત્ત્વિક–સત્ય સ્વરૂપ જાણતા નથી, તેનાથી તમારે ભય રાખવાનું છે.)” મંત્રીએ કહ્યું—“તે સ્વરૂપ આપ અમને કૃપા કરીને સમજાવે.” ત્યારે મુનિ બોલ્યા કે— - “બાહ્ય અને આત્યંતર એમ દષ્ટિ બે પ્રકારની છે. તેમાં સ્થળ અને સમિપે રહેલા પદાર્થોને પ્રકાશ કરનારા આ ચર્મમય બે નેત્ર છે તે બાહ્ય દષ્ટિ છે તથા જ્ઞાન અને દર્શન એ બે આત્યંતર દષ્ટિ છે, તે સર્વ–સૂક્ષ્મ અને દૂર રહેલા પદાર્થોને પણ જેનારી છે. એ જ રીતે શુદ્ધિ પણ બે પ્રકારની છે. બાહ્ય અને આત્યંતર, તેમાં બહારથી પદાર્થોની જે ચેખાઈ તે બાહ્યશુદ્ધિ કહેવાય છે, અને દાન દેવા ગ્ય પદાર્થોનું સેંતાનીશ દોષોથી રહિતપણું તે આત્યંતર શુદ્ધિ છે. તેથી અમો બન્ને પ્રકારની દષ્ટિ વડે બન્ને પ્રકારની શુદ્ધિ જઈએ છીએ. તે બેંતાળીસ દેશે આ પ્રમાણે છે – आहाकम्मु १ देसिअ २, पूइकम्मे ३ अ मीसजाए अ४। ठवणा ५ पाहुडिआए ६, पाओअर ७ कीय ८ पामिच्चे ९ ॥१८६॥ परिअट्टिए १० अभिहडु ११-ब्भिन्ने १२ मालोहडे १३ अ अच्छिज्जे १४ । अणि सिट्ठि १५ ज्झोयरए १६, सोलस पिंडुग्गमे રોણા | ૨૮૭ |
આધાકર્મ દેષ–સાધુને નિમિત્તે તૈયાર કરે ૧, ઔશિક દોષ—પ્રથમ તૈયાર કરેલા ભાત, લાડુ વિગેરે મુનિને ઉદ્દેશીને દહીં ગોળ વિગેરેથી મિશ્ર કરે તે ૨, પૂતિકર્મ દેષ–શુદ્ધ આહાર આધાકમાં આહારમાં નાંખી મિશ્ર કરે અથવા આધાકમી આહારથી