________________
દશમ સર્ગ
૨૭૩ પર્યત તેનું મોટું, ઉદાર અને આશ્ચર્યકારક સમગ્ર ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળી આખી સભા વિશેષે કરીને હર્ષ અને આશ્ચર્યમય થઈ અને “કઈ સામાન્ય માણસે આપણે પરાજય કર્યો નથી.”
એમ વિચારી સર્વ કુમાર હર્ષ પામ્યા. પછી તેઓ સર્વ એકઠા થઈ બોલ્યા કે“હે અલક્ષ્ય રૂપવાળા કુમાર ! તમે વિશ્વમાં અદ્દભુત છતાં અમે અજ્ઞાનથી તમારે અપરાધ કર્યો છે તે ક્ષમા કરજે.”
તે સાંભળી કુમારે પણ તેઓની પાસે પિતાને અપરાધ ખમાવ્યો. એ રીતે સર્વેને પરસ્પર પ્રીતિ થઈ કન્યાઓ પણ આ સર્વ વૃત્તાંત જાણી અતિ આનંદ પામી.
રાજાએ પિતાના મહેલમાંજ એક ચિત્રશાળામાં કુમારને બહુમાનથી કેટલેક પરિવાર આપીને રાખે. પછી અવસરે રાજાએ કન્યાઓનું પાણિગ્રહણ કરવા માટે કુમારને વિનંતિ કરી, ત્યારે તે બોલ્યા કે –
મારે સ્ત્રીઓનું કાંઈ પ્રયેાજન નથી, કેમકે મારે ઘણું સ્ત્રીઓ છે. કળામાં અને યુદ્ધમાં જે મેં વિજય કર્યો છે તે માત્ર કૌતુકને માટે જ કર્યો છે. વળી મારું કુળ અને શીળાદિક જાણ્યા વિના મને તમારે પુત્રીઓ પરણાવવી એગ્ય નથી, પરંતુ કેઈક કળાવાન રાજપુત્રને તે કન્યાએ તમે આપ, અને ચિરકાળ સુધી કળામાં કરેલા તેમના પરિશ્રમને કૃતાર્થ કરે.”
તે સાંભળી રાજાએ કહ્યું કે –“દેવીએ જ “ગ્ય વરને વરી, યોગ્ય વરને વરી” એવી ઘોષણાપૂર્વક તમને જ એ કન્યાઓ આપી છે, અને તમારું કુળ તથા શીળ પણ તે દેવીએ જ કહ્યું છે, તેથી આ મારી પ્રાર્થના વૃથા ન કરે.” - ' આ પ્રમાણે કહી બળાત્કારે પાણિગ્રહણ કરવાનું અંગીકાર કરાવી શ્રીપતિરાજાએ સારા લગ્નને દિવસે વિવિધ ઉત્સવપૂર્વક તેને વિષે જ રાગવાળી ત્રણે પુત્રીઓને તેની સાથે પરણાવી. તેની પહેરામણીમાં રાજાએ તેને દેશ, હાથી, ઘોડા, રથ અને સૈનિક તથા સર્વ સામગ્રી સહિત સુંદર મહેલ આપે. તે મહેલમાં નવી પરણેલી અને નવા સ્નેહવડે મનોહર એવી તે ત્રણે પ્રિયા સાથે વસતે તે કુમાર સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગે; તેમજ ગુરૂ અને દેવ વિગેરે સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું અને યાચકજનને ઇચ્છિત ધનનું દાન કરવા લાગ્યો. “આવા લાભમાં આવો વ્યય કરો તે યોગ્ય જ છે.”
આ કુમારના ભાગ્ય અને બળ વિગેરેવડે શ્રીપતિ રાજાનું રાજ્ય પણ વૃદ્ધિ પામ્યું, અને લેકમાં ચારેબાજુ આ કુમારના ગુણની સ્તુતિ વૃદ્ધિ પામીઆ પ્રમાણે પરદેશમાં
જ-૩૫