________________
नयविंशिका-१० त्वादिप्रकारकप्रतीत्यर्थमधिकरणत्वादिविशिष्टे लक्षणैव स्वीकार्या, तन्निरूढत्वज्ञापनार्थमेव विशेषानुशासनमिति न कोऽपि दोषः' (पृ. ५८) इति । अत्र यतो न कालस्योपलक्षणादपि ग्रहणमतो न कालमपेक्ष्य विशेषिततरत्वमिति निश्चीयते । तदुक्तं सम्मतितर्कप्रकरण (का. १/३) वृत्तौ- कालभेदाद् वस्तुभेद ऋजुसूत्रेणाभ्युपगत एवे 'ति। ततश्च कालमपेक्ष्य यद्विशेषिततरत्वं तद्व्यवहाराभिमतवस्त्वपेक्षयैव नेयं, तदन्यत्तु ऋजुसूत्राभिमतवस्त्वपेक्षयापि ।
अथ 'शब्दप्रधानो नयः शब्दनयः' इति भवता यदुक्तं तत्र शब्दप्रधानत्वं किम् ? शृणु-अर्थः शब्दमनुसरति न तु शब्दोऽर्थमिति मननं शब्दप्रधानत्वं ज्ञेयम् । शब्दस्य
એની સંગતિ કરવા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કહે છે –) વસ્તુતઃ ગ્રામખંધિત વગેરે પ્રયોગસ્થળે ગ્રામ શબ્દને લાગેલી દ્વિતીયા વિભક્તિથી પણ અધિકરણત્વની પ્રતીતિ થાય એ માટે પ્રH શબ્દની અધિકરણત્વવિશિષ્ટગ્રામમાં લક્ષણા જ સ્વીકારી લેવી. અર્થાતું એ અર્થ લક્ષણાથી મળે છે, એમ સમજવું.
શંકા - iાયાં પોષ:.. વગેરે લાક્ષણિક સ્થળે ‘ગંગા' પદનો ગંગાતીર એવો લક્ષ્યાર્થ મેળવવા જેમ કોશ વગેરેમાં કશું વિશેષ જણાવેલું હોતું નથી, એમ પ્રસ્તુતમાં પણ જો લક્ષ્યાર્થ જ લેવાનો છે, તો વ્યાકરણમાં વિશેષ સૂત્રની શી જરૂર છે ? એની વિશેષ શક્તિ જણાવવા માટે જ એ સૂત્ર નથી ?)
સમાધાન - ના, પ્રામમfપોતે વગેરે પ્રયોગમાં નિરૂઢલક્ષણો છે. (= અનાદિકાલીન લક્ષણા છે... જ્યારે જ્યારે આવો પ્રયોગ થયો હોય ત્યારે ત્યારે લાક્ષણિક અર્થ જ લેવાનો હોય) આવું જણાવવા માટે વ્યાકરણનું એ વિશેષસૂત્ર છે. માટે આમાં કોઈ દોષ નથી.
અનેકાન્તવ્યવસ્થાપ્રકરણના આ અધિકારમાં ઉપલક્ષણથી પણ કાળનું ગ્રહણ નથી, માટે શબ્દનયમાં કાળની અપેક્ષાએ વિશેષિતતરત્વ નથી એ જણાય છે. સમ્મતિતર્કપ્રકરણ (૧-૩) ની વૃત્તિમાં જણાવ્યું જ છે કે – “કાળભેદે વસ્તુભેદ ઋજુસૂત્રનયે (પણ) માન્યો જ છે.” એટલે શબ્દનયને અભિમત વસ્તુમાં કાળની અપેક્ષાએ પણ જે વિશેષિતતરત્વ જણાવ્યું છે તે વ્યવહારનયને માન્ય વસ્તુની અપેક્ષાએ જ જાણવું અને એ સિવાય લિંગવચનાદિની અપેક્ષાએ જે વિશેષિતતરત કહ્યું છે તે ઋજુસૂત્રને માન્ય વસ્તુની અપેક્ષાએ પણ જાણવું.
પ્રશ્ન - “શબ્દપ્રધાનો નયઃ (= શબ્દને પ્રધાન કરનારો નય) એ શબ્દનય' એવું તમે જે કહેલું તેમાં શબ્દપ્રધાનત્વ શું છે ?