________________
८५
लोक-शास्त्रविलोपौ नयेष्वकिञ्चित्करौ प्रयोगस्य सङ्गतेः, न चैवं लोक-शास्त्रविलोपः, सर्वत्रैव नयमते तद्विलोपस्य समानत्वादिति सम्मतिवृत्तौ व्यवस्थितम् । वस्तुतो 'ग्राममधिशेते' इत्यादौ ग्रामोत्तरद्वितीयादिपदादधिकरण
એમ ઉપગ્રહણભેદ હોવા છતાં વિરમતિ વગેરે પ્રયોગ યોગ્ય નથી, કારણ કે આત્માર્થતા હોવાથી વિરમત એવો પ્રયોગ જ સંગત છે. આશય એ છે કે ર૧ ધાતુ ઇદિત (=આત્મપદી) હોવાથી એને આત્મનેપદના પ્રત્યય લાગે છે. પણ “ચારે રમ:' (૩-૩-૧૦૫) આ સિદ્ધહેમ સૂત્ર વિ-આ-પરિ આ ત્રણ ઉપસર્ગો સાથે રમ્ ધાતુને પરમૈપદના પ્રત્યયો લગાવવાનું જણાવે છે ને તેથી વિરમતિ-સારમતિ-પરિમતિ એવા પ્રયોગો થાય છે. શબ્દનયને આ માન્ય નથી, કારણ કે ઉપગ્રહભેદ અંગે પણ આત્માર્થક વિરમણ વગેરે ક્રિયાને સૂચિત કરવા માટે આત્મનેપદનો પ્રયોગ જ ઉચિત છે. એટલે વિરત વગેરે રૂપ જ સંગત છે. આત્મપદ અને પરસ્મપદથી વ્યક્ત થનાર આત્માર્થતા અને પરાર્થતા એ ઉપગ્રહ કહેવાય છે.
શંકા - જો આ રીતે પ્રાને મfધરોતે, મચ યામિ વિરમરે વગેરે પ્રયોગ કરવામાં આવશે તો તેને એ રીતે શબ્દનયને અનુસરવામાં આવશે તો) લોક અને શાસ્ત્રનો = વ્યાકરણ શાસ્ત્રનો વિલોપ જ થઈ જશે. આશય એ છે કે – શિષ્ટલોકમાં જેવો વ્યવહાર થતો હોય છે એને અનુસરીને વ્યાકરણશાસ્ત્ર રચાયેલું હોય છે. એટલે એ બને તો પરસ્પર અનુસરનારા હોય છે, પણ એને અનુસરીને તો ગ્રામHધોતે, મળે યામિ, વિરમતિ વગેરે પ્રયોગ જ સંગત છે. એટલે પ્રાને પોતે વગેરે પ્રયોગ કરવામાં લોકવ્યવહાર અને શબ્દાનુશાસનનું ઉલ્લંઘન છે જ. * સમાધાન - હા છે જ પણ એમાં કોઈ દોષ નથી. કારણ કે એવું ઉલ્લંઘન તો બધા જ નયમતોમાં સમાન છે. આશય એ છે કે લોકવ્યવહારને વ્યવહારનય અનુસરે છે. એટલે એમાં લોકવ્યવહારનું અને એને અનુસરનાર શાસ્ત્રનું ઉલ્લંઘન ન હોય એવું મળે. શેષ નયો તો આ વ્યવહારનયથી અલગ પડનાર હોવાથી એનું ઉલ્લંઘન મળે જ. આમાં કાંઈ આશ્ચર્ય નથી કે અજુગતું નથી. નહીંતર તો શેષનયો વ્યવહારનયથી અલગ રહી જ નહીં શકે. એટલે જ તે તે ઘડાને જુદા માનવાનો લોકવ્યવહાર હોવા છતાં સંગ્રહનય એ બધાનો અભેદ માને છે. એમ લોકવ્યવહાર ઘટ-પટાદિને સ્થાયી માનવાનો હોવા છતાં ઋજુસૂત્રાદિનય એને ક્ષણિક માને છે. આ વાત સમ્મતિતર્કપ્રકરણની વૃત્તિમાં કહેલી છે. . (અથવા, ગ્રામ અધિકરણ હોવા છતાં દ્વિતીયાવિભક્તિ લગાડવામાં કોઈ દોષ નથી