________________
८७
शब्दादीनां शब्दप्रधानत्वं किम् ? पुल्लिङ्गत्वात्. 'तटः' इतिशब्दवाच्येऽर्थेऽयं नयो पुंलिङ्गत्वमेव मन्यते । परन्तु 'तटी' इतिशब्दवाच्येऽर्थेऽयं नयः स्त्रीलिङ्गत्वमेव स्वीकुरुते । एवञ्चार्थस्य शब्दानुसारित्वमननमेवास्य शब्दप्रधानत्वं ज्ञेयम् । एवञ्च 'तट:'-'तटी' पदवाच्यार्थयोर्भेदः स्पष्ट एव, भिन्नलिङ्गत्वाद् । ऋजुसूत्रनयः कारकादेर्भेदाद्वस्तुभेदं नाङ्गीकुरुते, एष शब्दनयस्तमङ्गीकुरुते । एतदेव शब्दनयस्य ऋजुसूत्राद्विशेषिततरत्वं बोध्यम् ।।
अस्य मते प्रस्थकाधिकारज्ञगतः प्रस्थककर्तृगतो वा प्रस्थकोपयोग एव प्रस्थकः, न तदतिरिक्तं काष्ठादिमयं किमपि वस्तु प्रस्थकः, निश्चयमानात्मकप्रस्थकस्य जडवृत्तित्वायोगात्, बाह्यप्रस्थकस्याप्यनुपलम्भकालेऽसत्त्वेनोपयोगानतिरेकाश्रयणात् । ननु यथाऽऽयु:कारणत्वाद्
ઉત્તર - “અર્થ શબ્દને અનુસરે છે, નહીં કે શબ્દ અર્થને..” આવું માનવું એ શબ્દપ્રધાનત્વ છે. ત૮: એવો શબ્દ પુલ્લિંગ હોવાથી એનો વાચ્યાર્થ પણ પુંલિંગ જ છે એવું આ નય માને છે. પણ તટી એવા શબ્દના વાર્થને આ નય સ્ત્રીલિંગ જ માને છે. આમ અર્થને શબ્દાનુસારી માનવો એ જ એનું શબ્દપ્રધાનત્વ છે. એટલે, ભિન્નલિંગ હોવાથી ત: ના વાચ્યાર્થનો તટી ના વાચ્યાર્થ કરતાં ભેદ હોવો સ્પષ્ટ જ છે. ઋજુસૂત્રનય કારકાદિભેદે વસ્તુનો ભેદ માનતો નથી, આ શબ્દનય માને છે. આ જ શબ્દનયનું ઋજુસૂત્રનય કરતાં વિશેષિતતરત્વ છે.
આ શબ્દનયના મતે પ્રસ્થકના અધિકારના જાણકારનો અથવા પ્રસ્થના કરનારનો પ્રસ્થકવિષયક ઉપયોગ જ પ્રક છે, તેના સિવાયની કાષ્ઠાદિમય કોઈપણ વસ્તુ પ્રસ્થક નથી, કારણ કે “આ ધાન્ય પ્રસ્થક પ્રમાણ છે' આવા નિશ્ચયાત્મક પ્રસ્થક, કોઈ જડવતુરૂપ - શી રીતે હોય શકે ? જ્યારે આવા નિશ્ચયાત્મક ઉપયોગ ન હોય ત્યારે બાહ્યપ્રસ્થક પણ
આ નય માનતો જ નથી, કારણ કે એ તો “પ્રસ્થકને ઉપયોગથી અભિન્ન માને છે. એટલે ઉપયોગ જ નથી તો પ્રીક શી રીતે હોય ? અથવા, “માનાધીના મેયસિદ્ધિઃ કોઈપણ મેયનું = વિષયનું અસ્તિત્વ પ્રત્યક્ષાદિજ્ઞાનાત્મક માનને આધીન હોય છે = એવું જ્ઞાન થાય તો જ એનું અસ્તિત્વ મનાય છે. એટલે જ્યારે પ્રસ્થકજ્ઞાન નથી ત્યારે એના વિષયભૂત બાહ્ય પ્રસ્થકને પણ શી રીતે માની શકાય ? અને જ્યારે જ્ઞાન છે ત્યારે તો જ્ઞાનાત્મક પ્રસ્થક જ હાજર હોવાથી બાહ્યપ્રસ્થકની શી જરૂર ?
શંકા - જેમ આયુષ્યનું (= જીવનનું) કારણ હોવાથી ઘીને આયુષ્ય (વૃતમ":) કહે છે, એમ ‘આ ધાન્ય પ્રસ્થકપ્રમાણ છે' આવા પ્રસ્થકજ્ઞાનનું કારણ હોવાથી કામય પ્રસ્થક પણ પ્રસ્થક કહેવાવું જોઈએ ને !