________________
६६
नयविंशिका-८
अथ 'कृष्णो भ्रमरः' इति वाक्यवत् 'पञ्चवर्णो भ्रमरः' इति वाक्यमपि कथं न व्यवहारनयानुरोधि ? तस्यापि लोकव्यवहारानुकूलत्वात्, व्युत्पन्नलोकानामागमबोधितार्थेऽपि व्यवहारदर्शनादिति चेत् ? न, तस्य लोकबाधितार्थबोधकतया लोकव्यवहाराननुकूलत्वात् । नन्वेवं तु 'आत्मा न रूपवान्' इत्यादि वाक्यस्याप्यव्यवहारकत्वापत्तिः, आत्मगौरत्वादिबोधकलोकप्रमाणबाधितार्थबोधकत्वात् । न च 'आत्मा गौरः' 'आत्मा कालः' इत्यादि प्रतीतेर्लोकस्य कदाचिदप्यसम्भवाल्लोकप्रमाणबाधितार्थबोधकत्वमसिद्धमिति शङ्कनीयं, तदसम्भवेऽपि 'अहं गौरः' 'अहं कालः' इत्यादिप्रतीतेः सम्भवात्, तत्र च 'अहं 'पदेनात्मन एवोल्लिख्यमानत्वाद्, अन्यथा 'अहं सुखी' इत्यादिप्रतीतेः शरीरे सुखाधारत्वापत्तेः । न च प्रत्यक्षनियतैव लोकव्यवहारविषयता, न त्वागमादिनियताऽपीति ‘आत्मा न रूपवान्' इत्यादेरव्यवहारकत्वमिष्टमेवेति वाच्यं, एकं चार्वाकं मुक्त्वा शेषलोकानामात्मनोऽपि व्यवहारविषयत्वादिति चेत् . ?
શંકા - “કૃષ્ણો ભ્રમર ની જેમ “પંચવર્ણો ભ્રમર વાક્ય પણ વ્યવહારને અનુસરનાર કેમ ન માનવું ? કારણ કે ઓગમજ્ઞાતા લોકોનો આગમબોધિત અર્થ અંગે પણ વ્યવહાર જોવા મળતો હોવાથી આ વાક્ય પણ લોકવ્યવહારને અનુકૂળ જ છે.
સમાધાન - ના, એ વાક્ય લોકબાધિતઅર્થ બોધક હોવાથી = લોક જેનો નિષેધ કરે છે એવા અર્થને જણાવનાર હોવાથી લોકવ્યવહારને અનુકૂળ છે.
પૂર્વપક્ષ - આમ તો “આત્મા રૂપવાન નથી' વગેરે વાક્ય પણ અવ્યવહારુ = લોકવ્યવહારને અનનુકૂળ બની જશે, કારણ કે આત્માના ગૌરવનું બોધક જે લોકપ્રમાણ, તેનાથી બાધિત અર્થનું બોધક છે. “આત્મા ગોરો છે “આત્મા કાળો છે' આવી પ્રતીતિ લોકને ક્યારેય થતી નથી. તેથી લોકપ્રમાણથી બાધિતાર્થનું એ વાક્ય બોધક હોવાની વાત અસિદ્ધ છે” – આવી શંકા નહીં કરવી, કારણ કે એવી પ્રતીતિ થતી ન હોવા છતાં “હું ગોરો છું” “હું કાળો છું” વગેરે પ્રતીતિ તો લોકને થાય જ છે. આવી પ્રતીતિમાં હું' શબ્દ આત્માને જ જણાવે છે, નહીં કે શરીરને, નહીંતર તો સુખી' વગેરે પ્રતીતિથી ભાસતા સુખનો આધાર પણ શરીરને માનવું પડે.
શંકા - લોકવ્યવહાર પ્રત્યક્ષને જ અનુસરે છે, આગમને નહીં, આવો નિયમ હોવાથી “આત્મા ન રૂપવાનું વગેરે અવ્યવહારુ બની જાય એ ઈષ્ટ જ છે. આત્મા પ્રત્યક્ષ ન હોવાથી આગમને અનુસર્યા વગર આવો વાક્યપ્રયોગ સંભવિત નથી.
સમાધાન (= પૂર્વપક્ષ) - આ શંકા બરાબર નથી, કારણ કે એક ચાર્વાકને છોડી ઘો... બાકી તો બધા લોકોના વ્યવહારમાં આત્મા પણ અવતરે જ છે. માટે એ