________________
२२८
नयविंशिका-१५ वृत्तावेवमुक्तं- 'यो घटशब्दवाच्योऽर्थस्तं कुट-कुम्भादिपर्यायशब्दवाच्यं नेच्छत्यसावित्यर्थ इति' इति। तथैवम्भूतनयनिरूपणेऽपि तत्र(२२५१)वृत्तावेवमुक्तं- 'अयं हि योषिन्मस्तकारूढं जलाहरणादिक्रियानिमित्तं घटमानमेव-चेष्टमानमेव घटं मन्यते, न तु गृहकोणादिव्यवस्थितम्' इति । अत्र हि शब्दादीनां त्रयाणामपि घटः सम्मततयोक्तः, न चैतावतैव ‘स द्रव्यतया संमत' इति निश्चेतुमुचितः, शब्दादिनयानां द्रव्यार्थिकत्वापत्तेः। एवमेव ऋजुसूत्रेऽपि ज्ञेयम्। शास्त्रवचनेभ्यस्तस्य घटः सम्मत इत्येव निश्चेतुं योग्यं, तत्संमतो घटो द्रव्यरूपो वा पर्यायरूपो वेति तु नैव निश्चेयम् । ततश्च ऋजुसूत्रगृहीतो घटः क्षणिकतया यदि पर्यायरूपो निश्चीयते, तदा तस्याधारांशद्रव्यत्वकल्पनं कथं शास्त्रानुसारि स्याद् ? न कथञ्चिदित्यर्थः । ततश्चर्जुसूत्र आधारंशग्राहितया द्रव्यार्थिक इति नैव सिद्धमिति चेत् ? ___ अत्र कश्चित्-ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वसिद्धौ किमनेन वृथाऽऽयासेन? यावदनुयोगद्वार
આ સમભિરૂઢનય કુટ-કુંભ વગેરે ઘટશબ્દના પર્યાયવાચી શબ્દોના વાચ્ય તરીકે સ્વીકારતો નથી.” વળી એવંભૂતનયના નિરૂપણવેળા પણ ત્યાં (૨૨૫૧મી ગાથાની) વૃત્તિમાં આમ કહ્યું છે કે - “આ એવંભૂતનય તો સ્ત્રીના મસ્તકે ચઢીને જળાહરણાદિ ક્રિયામાં વ્યાપૃત ઘડાને જ ઘટ તરીકે માને છે, નહીં કે ઘરના ખૂણા વગેરેમાં પડેલા ઘડાને...” આમાં શબ્દાદિ ત્રણે નયોને ઘડો માન્ય છે એ જણાવેલું છે. પણ એટલા માત્રથી “એ દ્રવ્યરૂપે માન્ય છે' એમ માની લેવું એ ઉચિત નથી. કારણ કે તો પછી શબ્દાદિનયો પણ દ્રવ્યાર્થિક જ બની જાય.
આવું જ ઋજુસૂત્રનય અંગે પણ જાણવું જોઈએ. શાસ્ત્રવચનો પરથી તેને = ઋજુસૂત્રનયને ઘડો માન્ય છે એટલો જ નિશ્ચય કરવો જોઈએ, પણ એ ઘડો દ્રવ્યરૂપ છે કે પર્યાયરૂપ ? એ નહીં. એટલે ઋજુસૂત્રનય દ્વારા ગૃહીત ઘટ ક્ષણિક હોવાથી જો પર્યાયરૂપે નિશ્ચિત થાય છે, તો એ આધારાંશ દ્રવ્યરૂપ છે એવી કલ્પના શી રીતે શાસ્ત્રાનુસારી હોઈ શકે ? કોઈપણ રીતે નહીં. એટલે ઋજુસૂત્ર આધારાંશનો ગ્રાહક હોવાથી દ્રવ્યાર્થિક છે એ વાત સિદ્ધ થતી નથી જ.
(અહીં કોઈક અન્ય આ પૂર્વપક્ષનો જવાબ આપવા માટે કહે છે)
શંકા - ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિક સિદ્ધ કરવા માટેના આ ફોગટ પ્રયાસથી સર્યું, કારણ કે અનુયોગદ્વારના સૂત્રદ્વારા જ એ સિદ્ધ થઈ ગયેલ છે. તે આ રીતે “ઋજુસૂત્રનયને એક અનુપયુક્ત આત્મા એ એક વ્યાવશ્યક તરીકે માન્ય છે. પૃથકત્વને = બહુત્વને