________________
१८८
नयविंशिका-१४ स्वीकुर्वतो नैगमभेदस्य विशुद्धत्वं स्पष्टमेव, अधिकस्य ध्रौव्यांशस्य ग्रहणात् । तथाप्यनुयोगद्वारसूत्रेऽस्य नैगमभेदस्याशुद्धत्वमुक्तं, तदपेक्षया छिद्यमानाद्यवस्थं दारुं गृह्णतो नैगमभेदस्य शुद्ध-शुद्धतरत्वादिकमुक्तं, आकुट्टितनामानं च प्रस्थकतया गृह्णतो नैगमभेदस्य विशुद्धतमत्वमुक्तम् । ततश्चैतदशुद्धिशुद्ध्यादिकं कथमुपपादनीयमिति प्रश्नः समुद्भवत्येव । नैगमस्य स्वकीयां दृष्टिमपेक्ष्योपपत्तिरत्राशक्यैव, स्पष्टं विरुद्धत्वात् । तस्मात्तां परित्यज्यान्यनयदृष्टिाह्या । तत्रापि व्यवहारनयसंमतस्याकुट्टितनाम्नः प्रस्थकस्य ग्राहिणः सर्वविशुद्धत्वकथनं, तथा व्यवहार एव प्रायः सर्वत्राशुद्धिशुद्ध्यादेर्यद् व्यवहर्ता, अतो व्यवहारनयदृष्टिर्मया गृहीता । परन्तु नैगमनयविचारेऽपि नैगमनयदृष्टेर्यः परित्यागस्तत्र कश्चिद्धेतुर्वाच्य एव । तदर्थं नैगमस्य न कापि नियता दृष्टिरित्यादिकं मयोक्तम् । तत्र मृत्पिण्ड-शिवकादयो नैगमस्य सर्वेऽपि यथा मृत्पिण्डस्तथैव शिवकोऽपि, तथैव स्थासादिरपि । तथा यथा सर्वानपि मृत्पिण्डादीन्
થાય છે એ પણ જણાય છે. એટલે પ્રસ્થકદૃષ્ટાન્તમાં વ્યવહારનયસંમત નામાંકિત પ્રસ્થકને જ પ્રસ્થક તરીકે જોનાર નૈગમભેદની અપેક્ષાએ વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠને પણ પ્રક તરીકે જોનાર નૈગમભેદ શુદ્ધ હોવો સ્પષ્ટ છે જ, કારણ કે એ અધિક ધ્રૌવ્યાંશને જુએ છે. તેમ છતાં અનુયોગદ્વારસૂત્રમાં આ નૈગમભેદને અશુદ્ધ કહેલ છે, અને એની અપેક્ષાએ છેદન વગેરે અવસ્થામાં રહેલા કાષ્ઠને પ્રસ્થક તરીકે જોનાર નૈગમભેદને શુદ્ધ-શુદ્ધતર વગેરે કહેલ છે અને નામાંકિત પ્રસ્થકને જોનાર નૈગમભેદને વિશુદ્ધતમ કહેલ છે. એટલે અનુયોગદ્વારમાં કહેલ આ અશુદ્ધિ-શુદ્ધિ વગેરેની સંગતિ શી રીતે કરવી? એ પ્રશ્ન ઊભો થાય જ છે. નગમની પોતાની દૃષ્ટિની અપેક્ષાએ આની સંગતિ બિલકુલ અશક્ય જ છે, કારણ કે સ્પષ્ટપણે વિરુદ્ધ જ છે. માટે એની પોતાની દૃષ્ટિને છોડીને અન્ય નયની દૃષ્ટિની અપેક્ષાએ સંગતિ કરવી જરૂરી બને છે. એમાં પણ એક તો વ્યવહારનયસંમત નામાંકિત પ્રસ્થકને જોનાર નૈગમભેદને સર્વવિશુદ્ધ ત્યાં કહેલ છે તથા બીજું પ્રાયઃ વ્યવહારનય જ બધે શુદ્ધિ-અશુદ્ધિ આદિનો વ્યવહાર કરે છે, એટલે મેં પણ આની સંગતિ કરવા વ્યવહારનયની દૃષ્ટિનો આધાર લીધો છે. પરંતુ નૈગમન ના વિચારમાં પણ નૈગમનની દૃષ્ટિ છોડી દેવામાં કોઈક હેતુ તો આપવો જ પડે. એટલે મેં નૈગમનયની કોઈ નિયતદષ્ટિ નથી વગેરે કહેલ છે. એમાં પિંડ-શિવક વગેરે બધા નૈગમનયે જેમ પિંડરૂપ છે તેમ શિવકરૂપ પણ છે જ, એ જ રીતે સ્થાસાદિ રૂપ પણ છે જ. તથા જેમ પિંડ વગેરે બધાને પિંડ તરીકે જોનાર નૈગમભેદ સર્વવિશુદ્ધ હોઈ શકે છે તેમ તે બધાને શિવકાદિ