________________
'लोके वसामी'त्युत्तरस्य सर्वविशुद्धनैगमत्वम्
१५१
मनुत्पन्नमात्मानमहंतयाऽभिप्रैति, तदा 'लोके वसामीति प्रत्युत्तरयति । एषोऽभिप्राय एव सर्वविशुद्धो नैगमो मन्तव्यः 1
ननु किमित्येतदत्यसमञ्जसमुच्यते 'लोके वसामीति प्रत्युत्तरं सर्वविशुद्धनैगम इति, यावदनुयोगद्वारसूत्रप्रमुखेषु ग्रन्थेषु तस्य सर्वाविशुद्धनैगमनयत्वेन कथितत्वादिति चेत् ? ધીરો ભવ ! મા ત્વરિષ્ઠા, અદ્રે (પૃ. ૧૮૭) સ્પીરિષ્યમાળાત્ ।
नन्वेतावता ‘लोके वसामी 'त्युत्तरस्य सर्वविशुद्धनैगमाभिप्रेतत्वं सिद्धं, परन्तु ‘नैगमस्योर्ध्वतासामान्यं विषयः' इति तु न ततः सिद्धमिति चेत् ? मैवं, साक्षादक्षरतस्तस्यासिद्धत्वेऽप्यर्थतस्तस्य सिद्धत्वात् । तथाहि - पाटलिपुत्राद् बहिर्गतो यदि 'पाटलिपुत्रे वसामी 'ति प्रत्युत्तरयति तदा व्यवहारस्य मुख्यतया संमतं, अन्तर्गत एव यदि वक्ति तदोपचारेणेति निश्चितमस्माभिः । ‘ततश्च 'निवासत्वेनोच्यमानस्य क्षेत्रस्यान्तर्गतश्चेद् वक्ता तदोपचार:' इति
અને જ્યારે એ આકાલભાવિની ભવપરંપરાને ‘અહં' પદના વાચ્યાર્થ તરીકે વિવક્ષે ત્યારે ‘હું લોકમાં વસ છું' એવો ઉત્તર આપે છે. આવો અભિપ્રાય-જવાબ જ સર્વવિશુદ્ધનૈગમનય જાણવો.
શંકા - આવું અત્યંત અસમંજસ-ઢંગધડા વગરનું કેમ કહો છો ? કારણ કે અનુયોગદ્વારસૂત્ર વગેરે ગ્રન્થોમાં આવા અભિપ્રાયને સર્વઅવિશુદ્ધ નૈગમનય તરીકે કહેલ છે. સમાધાન - ધીરો પડ, ઉતાવળ ન કર... આગંળ (પૃ. ૨૫૭) આ વાત સ્પષ્ટ કરવાની જ છે.
શંકા આ રીતે ‘હું લોકમાં વસુ છું' એવો ઉત્તર એ સર્વવિશુદ્ઘનૈગમનયનો અભિપ્રાય છે, એ તો ચાલો માની લઈએ, પણ એનાથી ‘નૈગમનયનો ઊર્ધ્વતાસામાન્ય એ વિષય છે' એવું ક્યાં સાબિત થયું ?
સમાધાન - સાક્ષાત્ શાસ્ત્રવચનોથી એ સિદ્ધ ન હોવા છતાં તાત્પર્યાર્થરૂપે એ સિદ્ધ થતું હોવાથી તમારી શંકા બરાબર નથી. પાટલિપુત્રની બહાર ગયેલો હોય અને જો ‘પાટલિપુત્રમાં વસું છું' એમ કહે તો એ વ્યવહારનયને મુખ્યરૂપે સંમત છે, પણ પાટલિપુત્રમાં જ હોય અને છતાં એમ કહે તો ઉપચારથી સંમત છે, એ વાત આપણે જોઈ ગયા છીએ. એટલે ‘નિવાસસ્થાન તરીકે જણાવાતા ક્ષેત્રમાં જ જો વક્તા હોય તો એ વખતે ઉપચાર જાણવો' એવો નિયમ ફલિત થયો. ‘હું' લોકમાં વસુ છું' એવો જવાબ તો લોકમાં અન્તર્ગત વક્તા જ બોલે છે, કારણ કે લોકની બહાર ગમન અસંભવિત છે. એટલે એ જવાબ વ્યવહારનયને તો ઉપચારથી જ માન્ય બને એમ