SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમોપશમસમ્યક્ત્વપ્રાપ્તિ અધિકાર ૨૧ જવાબ - સમ્યક્ભિમુખ જીવ બે પ્રકારના હોય છે (૧) અર્વાદ મિથ્યાષ્ટિ (૨) સાદિ મિથ્યાર્દષ્ટિ. જે જીવે સંસારમાં ક્યારે પણ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યુ નથી તે અદિ મિથ્યાષ્ટિ. જે જીવ સંસારમાં એક કે અધિકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરૢ પુનઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે આવેલો હોય તે દિ મિથ્યાર્દષ્ટિ. અહિંયા ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્તિનો અધિકાર છે. અર્વાદ મિથ્યાષ્ટિ જીવે આ પૂર્વે કયારેય સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યુ નથી. તેથી તેને સમ્યક્ત્વ મોહનીય તેમજ મિશ્ર મોહનીયની સત્તા હોય નહીં, કારણૢ કે આ બે પ્રકૃતિઓ સત્તામાં સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે સમયે અથવા મતાંતરે સમ્યક્ભિમુખ મિથ્યાર્દષ્ટિને મિથ્યાત્વ ગુણસ્થાનકના ચશ્મ સમયે ત્રિપુંજીકરણ દ્વાણ પ્રાપ્ત થાય છે. સાદિ મિથ્યાષ્ટિ એટલે કે જે સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે આવેલા છે તેઓને પણ જ્યાં સુધી આ બે પ્રકૃતિઓ સત્તામાં હોય છે ત્યાં સુધી પુનઃ ઔપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકતુ નથી. પરન્તુ પ્રથમ ગુણસ્થાનકે આ બન્ને પ્રકૃતિઓનો ઉલના સંક્રમ દ્વારા સત્તામાંથી વિચ્છેદ કર્યા પછી જ ત્રણ કરણ દ્વારા પ્રથમ ઔપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકે છે. પ્રશ્ન - ‘આ બે પ્રકૃતિઓની ઉદ્દલના કર્યા વિના ફરી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત ન થઈ શકે' તેમ શા ઉપરથી કહો છો ? જવાબ - સાસ્વાદન ગુણસ્થાનકનું અંતર જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેલ છે અને સાસ્વાદન ગુણસ્થાનક ઔપમિક સમ્યક્ત્વથી પડતા જ પ્રાપ્ત થાય છે, અન્યથી પ્રાપ્ત થતું નથી. એકવાર ઉપશમ સમ્યક્ત્વથી પડ્યા પછી પુનઃ ઉપશમસમ્યક્ત્વ પોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ પછી જ પ્રાપ્ત થાય છે, કારણ કે મિથ્યાત્વે આવ્યા પછી સમ્યક્ત્વ મોહનીય તેમજ મિશ્રમોહનીયને ઉલના સંક્રમ દ્વારા નાશ કર્યા વિના પુનઃ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકતુ નથી, અને સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહાયની ઉલના કરતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ લાગે છે અને પંચસંગ્રહ - દ્વાર ભીંજાતી ગાથા ૬૧ની ટીકામાં સાસ્વાદન ગુણસ્થાનકનું આંતરૂ બતાવતા શ્રીમલગિરી મહારાજે જણાવ્યુ છે - “ઠ્ઠું સાપ્તાનભાવમનુંમૂય મૂયોપિ સાપ્તાનમાવું મનતે, ર્દિ नियमाज्जघन्यतोऽपि पल्योपमासङ्घयेयभागेऽतिक्रान्ते सति, नार्वाक्, कथमेतदवसेयम् ? इति चेदुच्यते - इह सासादनभावमासादयति नियमादौपशमिके सम्यक्त्वे वर्तमानो, नान्यथा, सासादनभावानुभवतश्च मिथ्यात्वं गतोऽवश्यं भूयः सम्यक्त्वमासादयति षड्विंशतिसत्कर्मा सन् करणत्रयपूर्वमौपशमिकं नान्यः, षड्विंशतिसत्कर्मा च भवति मिश्रसम्यक्त्वपुञ्जयोरुद्वलितयोः, तदुद्वलना च पल्योपमासङ्ख्येय-भागरुपेण कालेन नान्यथा, ततो भूयः सासादन
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy