SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમોહનીયની ઉપશમના ૨૦૭ આમ સૂત્મસંઘરાયાઢાના ચરમસમયે લોભ સર્વથા ઉપશાંત થઈ જાય છે. અને આ રીતે. મોહનીસકર્મ અહીં સર્વથા ઉપશાંત થઈ જાય છે. અનંતરસમયે એ જીવ ઉપશાંતમોહ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. (૫૪) (પપ) હવે ઉપરાન્તમોહ ગુણસ્થાનક બતાવે છે - उवसंतद्धा भिन्नमुहत्तो तीसे य संखतमतुल्ला । गुणसेढी सव्वद्धं तुल्ला य पएसकालेहिं ॥५६॥ उवसंता य अकरणा संकमणोवट्टणा य दिद्वितिगे । पच्छाणुपुव्विगाए परिवडइ पमत्तविरतो त्ति ॥५७॥ અક્ષાર્થ – ઉપશાંતમોહ ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ત્યાં ઉપશાંતાદ્ધાના સંખ્યામાં ભાગ પ્રમાણ ગુણણ રચે છે. તે ગુણણ ઉપશાંતાદ્ધા સુધી પ્રદેશ અને કાળની અપેક્ષાએ સમાન રચે છે. (૫૬) ઉપશાંત કર્મપ્રકૃતિઓ કરણને અયોગ્ય બને છે, પણ ઉપશાંત દર્શન-૩માં સંક્રમ અને અપવર્ણના થાય છે. પશ્ચાતુપૂર્વીના ક્રમે પડે ચાવત્ પ્રમgવરત સુધી. (૫૭) વિશેષાર્થ-ઉપશાંતમોહગુણસ્થાનક : ઉપશાંતમોહ ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ત્યાં સુધી અવસ્થિત પરિણામ હોય છે, “વ્રાનં સળં ૩વસંતબદ્ધ સદ્દિતો પરિણામો મવતિા" - કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગા. પકડી ચૂર્ણ. અસ્વસ્થતા પરિણામ હેવાનું કારણ મોહનીસકર્મના ઉદયનો અભાવ છે. કષાયના ઉદયથી પરિણામમાં સંકૂિલષ્ટતા આવે છે અને કષાયના ઉદયનો અહીં સર્વથા અભાવ હોવાથી આ ગુણસ્થાનકે અવસ્વત પરિણામ હોય છે. તથા કષાયોદયના અભાવથી ઉત્પન્ન થતુ યથાખ્યાતચરિત્ર આ ગુણસ્થાનકે હોય છે. અહીંયા ચારિત્રમોહનીયની સઘળી ચ પ્રકૃતિઓ ઉપશાંત હોવાથી તેમાં કોઈપણ કરણ લાગતા નથી. “વાસંતાતો મોહપાડીતો રVI | અવંતિ संकमणाते उवट्टणाए ओव्वट्टणाते उदीरणाते णिहत्तिए णिकायणाए य ण जायंति ।" -કર્મપ્રકૃતિ ઉપામનારણ ગા.ની ચૂર્ણ. તથા મોહનીસકર્મનો ઉદય પણ હોતો નથી. દર્શનમોહનીયમાં માત્ર સંક્રમ અને અપવર્તના ચાલે છે. એટલે કે ઉપરાંત મોહગુણસ્થાનકે ચારિત્રમોહળીયની પ્રકૃતિઓમાં કોઈ પણ કરણ લાગતું નથી, જ્યારે દર્શનમોહનીયની પ્રકૃતિઓમાં સંક્રમ અને અપવર્તના એ બે કરણ લાગે છે. તેમાં અવ્યપ્રકૃતિવયનસંક્રમ મિથ્યાત્વમોહનીયતો અને મિશ્રમોહનીયનો જ થાય, જ્યારે અપવર્તના ત્રણે દર્શનમોહનીયની થાય છે.
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy