SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઉપશમનાકરણ ભાગ-૧ અહીં પંચમાં અર્થ તૃતીયા હોવાનો સંભવ છે. તેથી કર્મપ્રકૃતિપૂર્ણિની પંક્તિનો અર્થ આ પ્રમાણે થઈ શકે છે - “અનંતાનુબંધીની વિસંયોજના થઈ ગયા પછી અન્તર્મુહૂર્ત સુધી સ્થિતિઘાત સઘાત અને ગુણશ્રેણી હિત સ્વભાવસ્થ રહે છે. અહીંયા જે જીવો અનંતાનુબંધી વિસંયોજવા કી આગળ વધવાના નથી તેવા જીવો લાંબો કાળ સ્વભાવસ્થ પણ રહી શકે છે. પરંતુ જે આગળ વધવાના છે એટલે કે દર્શનમોહનાની ાપણા કે ઉપશમનાનો પ્રારંભ કરવાના છે તેઓ પણ અન્તર્મુહૂર્ત સુધી તો અવશ્ય સ્વભાવસ્થ રહે છે એ તાત્પર્ય છે. અનંતાનુબંધ વિસંયોજવાનો અધિકાર કહ્યો... કેટલાક આચાર્યોના અભિપ્રાયે અનંતાનુબંધીની ઉપશમના પણ થાય છે. તેમના મતે તેનો ઉપશ્ચમના વિધિ અતિકાત્તિના અનુસારે કહેવાય છે. અનંતાનુબંધી ઉપામતા અવિતિ સમ્યગ્દષ્ટિ, દેર્શાવáત કે સર્વવતિ જીવ અનંતાનુબંધીની ઉપશમના કરવા માટે ત્રણ કણ કરે છે. તે જીવ કરણની અન્તર્મુહૂર્ત પૂર્વથી અનંતગુવિશુદ્ધિમાં વધતો હોય, તેજો - પત્ર કે શુદ્ધ બેસ્યામાંથી કોઈ પણ એક વેશ્યાવાળો હોય, સાકાÀપયોગમાં વર્તમાન હોય, સ્થિતિસત્તા અન્તઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય, પરાવર્તમાન શુભ પ્રકૃતિઓનો બંધક હોય, અશુભ પ્રકૃતિના ચાર સ્થાનિક અને બે સ્થાનિક કરતો હોય, અને શુભ પ્રકૃતિના બે સ્થાનિક અને ચાર સ્થાનિક કતો હોય, પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ બ્યૂન કો હોય, મન-વચન-કાય યોગમાંથી અન્યતર યોગે વર્તમાન હોય. આ પ્રમાણે કરણી પૂર્વે અન્તર્મુહૂર્ત સુધી રહીં ક્રમશઃ ત્રણ કણ કરે. દરેક કણ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે (૧) યથાપ્રવૃત્તકણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ... ચોથી ઉપશાંતાઢા છે. યથાપ્રવૃત્તકણમાં અધ્યવસાયો તથા વિશુદ્ધિની પ્રરૂપણા પ્રથમ ઉપશમ સમ્યક્ત્વવત્ જાણવી. પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિ વધતી જાય છે તથા પૂર્વાવસ્થા પ્રમાણે પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો બંધ, ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યાતમા ભાગ ન્યૂન સ્થિતિબંધ વિગેરે ચાલુ હોય છે. યથાપ્રવૃત્તકરણ પૂર્ણ કરી અપૂર્વકરણમાં પ્રવેશે છે. ત્યાં સ્થિતિઘાત ગુણશ્રેણી - ગુણસંક્રમ - અપૂર્વાતિબંધ એ પાંચે વસ્તુઓ એકસાથે પ્રવર્તે છે. સ્થિતિઘાતાદિના ચશ્મ સમયે પ્રથમ સમય કરતા સંખ્યાતગુણહીન સ્થિતિ સત્તામાં રહે છે. સઘાત - ગુણશ્રેણી માટે અપૂર્વકરણના પ્રથમ સમયે અન્તર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિની ઉપસ્થી -
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy