________________
૩૮
યુગે યુગે પાટણની પ્રભુતા
મહારાજે પણ આપણા પાટણના આ ભંડારોમાં અંગત રસ લઇ વડોદરા લાઇબ્રેરીના સંસ્કૃતના પ્રખર વિદ્વાન ડૉ. સી. ડી. દલાલને ઇ.સ. ૧૯૧૪માં પાટણ મોકલી તમામ ગ્રંથોની નામાવલી સૂચી તૈયાર કરાવેલી તેમજ કેટલાક ગ્રંથોનું પુનઃમુદ્રણ કરાવેલ.
જ્ઞાનમંદિરની બહારની દિવાલ ઉપર ચોડેલી તકતી મુજબ જૈનાચાર્યશ્રી આત્મારામજી મહારાજના શિષ્ય શ્રી કાંતિવિજયજી મહારાજના નેતૃત્વ હેઠળ તેમના શિષ્યો શ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનીશ્રી પુણ્યવિજયજી મહારાજ વર્ષો સુધી આપણા પાટણમાં રહી ભારે પરિશ્રમ કરી ગ્રંથોનું સંશોધન કરી તમામ ગ્રંથોને વ્યવસ્થિત કર્યા છે. તેમાં ખાસ કરીને (૧) તમામ ગ્રંથોના પાનાની મેળવણી કરવામાં આવી છે. (૨) કેટલાક ગ્રંથોના ખૂટતા પાના બીજા ગ્રંથોના આધારે લખી તેને પરિપૂર્ણ કરવામાં આવેલ છે. (૩) તમામ ગ્રંથોને સુવ્યવસ્થિત રીતે ગોઠવી જાડા પૂંઠા તેમજ કાપડમાં મૂકી પેક કરવામાં આવેલ છે. આ પત્રો, પત્રીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે જ્ઞાનમંદિરામાંથી વેચાણથી પણ મળે છે. કેટલોગ વેચાણથી મળે છે.
આ જ્ઞાનભંડારમાં સોનાની શાહી અને ચાંદીની શાહીથી લખાયેલા ગ્રંથો પણ છે. કેટલાક ગ્રંથોમાં ચિત્રકથા પણ આલેખવામાં આવેલ છે.
આવા અણમોલ ગ્રંથોની જાળવણી માટે પાટણના સદ્ગત શેઠશ્રી મોહનલાલ મોતીચંદના પુણ્ય સ્મરણાર્થે તેમના સુપુત્રોએ શ્રીસંઘ પાસેથી રૂા.૨,૧૦૦/- માં જમીન ન કરથી લઇને રૂા.૫૧,૦૦૦/- ના ખર્ચે અદ્યતન મકાજ બાંધવામાં આવ્યું. મકાનની પ્લીન્થ ધણી જ ઉંચી બાંધવામાં આવી છે. ઉધઇ ન લાગે. અગ્નિ બાળી ન શકે અને ચોરાઇ કે લૂંટાઇ જાય નહિ એવી અદ્યતન વૈજ્ઞાનિક ઢબે આ જ્ઞાનમંદિરમાં ગ્રંથોની જાળવણી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટીઓ ખૂબ રસ
દાખવે છે.
એવું કહેવાય છે કે, દુનિયાનું તમામ સાહિત્ય નાશ પામે, પણ અંગ્રેજ નાટચકાર શેક્સપીયરનું સાહિત્ય બચી જાય, તો એકલા આ સાહિત્ય ઉપરથી માનવી કેવો હતો તે જાણી શકાય ! એ રીતે આ ભંડારના ગ્રંથો ઉપર જ સોલંકીવંશના પરમભટ્ટારકો શ્રી સિદ્ધરાજ જયસિંહ અને પરમાર્હત કુમારપાળનું પાટનગર અણહિલવાડ પાટણની જાહોજલાલી કેવી હતી તે જાણી શકાય. આ જ્ઞાનમંદિર આચાર્યશ્રી વિજય વલ્લભસૂરીજી અને શ્રી કાંતિવિજયજીના ઉપદેશથી બાંધવામાં આવ્યું છે. આ જ્ઞાનમંદિરની સ્થાપત્ય કળા પૂર્વ-પશ્ચિમના મિશ્રણરૂપ નવિનતમ્ છે.
બેલ્જીયમના વિખ્યાત આર્કીટેક્ટ મિ.ગાસ્પર પાસે તેનો પ્લાન તૈયાર કરાવવામાં આવ્યો હતો. આ જ્ઞાનમંદિર સેંકડો વર્ષો સુધી ટકે તેવું મજબુત અને આગપ્રુફ બનાવવામાં આવેલું છે. તમામ ગ્રંથોને મજબુત લાકડાના માપસર બોક્ષ બનાવી નંબર આપી મજબુત લોખંડના કબાટોમાં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. અત્યારે તેમાં ૨૩૦ ઉપરાંત તાડપત્રી ગ્રંથો તેમજ ૨૦,૦૦૦ ઉપરાંત હસ્તલિખિત ગ્રંથો અને કેટલાક છાપેલા ગ્રંથો પણ રાખવામાં આવ્યા છે.
આ જ્ઞાનમંદિર સાથે વિશ્વ વિખ્યાત કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું નામ જોડવામાં આવ્યું છે. પાટણની શોભામાં અભિવૃદ્ધિ કરતા આ ‘શ્રી હેમચંદ્રાર્ચ જૈન જ્ઞાનમંદિર' નું ઉદ્ધાટન ગુર્જર સાહિત્ય