________________
૫૩૦
યુગે યુગે પાટણની પ્રભુતા
વર્ષે સં. ૧૨૪૧માં ગ્રંથની રચના થઇ.
ગ્રંથ પાટણમાં પૂર્ણ થયો ઃ- ગ્રંથના કર્તા શ્રી સોમપ્રભાચાર્ય, શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ રાજાના સમકાલીન હતા. ગ્રંથકર્તાએ, શ્રી હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ વચ્ચેનો વાર્તાલાપ, ઉપદેશની વાતો, ધર્મકથાઓ કહેતા સાંભળ્યા હશે.
એક નોંધ એવી મળે છે કે વિ.સં. ૧૨૪૧ના ભાદરવા સુદ ૮ રવિવારના રોજ શ્રી સોમપ્રભાચાર્ય મહારાજે આ ગ્રંથ પાટણમાં સમાપ્ત કર્યો. કવિ શ્રીપાલના પુત્ર કવિ સિધ્ધપાળ, કુમારપાળ મહારાજના પ્રીતિપાત્ર કવિ હતા. સિધ્ધપાળ જે ઉપાશ્રયમાં રહેતા હતા એજ ઉપાશ્રયમાં ગ્રંથકર્તા શ્રી સોમપ્રભાચાર્યે નિવાસ કરી આ ગ્રંથની રચના પાટણ ખાતે કરી હતી. મૂળગ્રંથ તાડપત્ર પર લખાયેલ છે.
આ મહાન ગ્રંથ એના નામ પ્રમાણે ‘‘ઉપદેશક ગ્રંથ'' છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ગુજરાતના સુવિખ્યાત સોલંકી સમ્રાટ કુમારપાળ મહારાજાને સમયે સમયે જે બોધ વિવિધ વ્યાખ્યાનો દ્વારા આપેલ, તે તે વિષયોને લગતી ધર્મકથાઓ સહિત આપેલો અને તે ઉપદેશની અસરથી જ કુમારપાળ મહારાજએ ધીમે ધીમે જૈન ધર્મનો ક્રમશઃ સ્વીકાર કેવી રીતે કર્યો તેનું ઝીણવટભર્યું વર્ણન આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. જૈન ધર્મમાં મોક્ષના જે ચાર દ્વાર માનવામાં આવ્યાં છે. તેમાં એક ‘‘ધર્મકથા’’ પણ મોક્ષનું દ્વાર ગણાય છે. ‘દલીલ કરતાં દાખલો ચઢે.' એ કહેવત અનુસાર જૈન ધર્મનું પાયાનું તત્ત્વજ્ઞાન કુમારપાળ જેવા એક રાજવીના ગળે ઉતારવા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ધર્મકથાના સ્વરૂપમાં વ્યાખ્યાનો આપેલ છે. આ વ્યાખ્યાનોની ધારી અસર થઇ. સાક્ષરવર્ય શ્રી મણિલાલ નભુભાઇ દ્વિવેદી એક જગ્યાએ જણાવે છે કે, ‘“શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી જ રાજા કુમારપાળે જીવહિંસા બંધ કરાવી., ત્યારથી યજ્ઞમાં પશુઓનાં બલીદાન બંધ થયાં અને તેની જગ્યાએ યવ તથા શાલિધાન્ય યજ્ઞમાં હોમવાનું શરૂ થયું'' આ એક મહાન સિધ્ધિ ગણાય !
ગ્રંથની ભાષા :- ગ્રંથકર્તા શ્રી સોમપ્રભાચાર્યે ઘણીજ નાની ઉમ્મરે દીક્ષા લીધી હતી. અસાધારણ બુધ્ધિના પ્રભાવે આચાર્યની પદવી થોડા વખતમાં જ મેળવી શક્યા હતા. તેઓશ્રી (૧) ન્યાય (૨) કાવ્ય (૩) શાસ્ત્ર અને ધાર્મિક ઉપદેશ આપવામાં ઘણા જ કુશળ અને પારંગત હતા.
‘કુમારપાળ પ્રતિબોધ’' ગ્રંથ પ્રાકૃત ભાષામાં લખેલ છે. પરંતુ છેલ્લા પ્રકરણમાં કેટલીક ધર્મકથાઓ સંસ્કૃતમાં લખેલી છે. એટલું જ નહિ કેટલાક ભાગો અપભ્રંશમાં પણ લખાયેલ છે. જેથી ગ્રંથકર્તા પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ એમ ત્રણે ભાષાના જ્ઞાતા હતા તેમ જણાય છે. ગ્રંથની ભાષા સાદી, સરળ અને સુવાચ્ય
ગ્રંથકર્તાનો ઉદ્દેશ :- આ ગ્રંથનો વિસ્તાર, એનો રચનાકાળ, મુખ્ય પાત્રો વગેરે વાંચતાં પ્રથમ નજરે વાચકને ગ્રંથ ઇતિહાસ જણાય છે. પરંતુ ગ્રંથકાર પોતે તેનો ઉદ્દેશ જણાવતાં લખે છે કે, ‘‘હું માત્ર જૈનધર્મના શિક્ષણ સંબંધી કાંઇક કહેવા ઇચ્છા રાખું છું” આમ જૈનધર્મના સિધ્ધાંતો અને ઉપદેશનું શિક્ષણ કથારૂપે આપી ‘ધર્મનો પ્રતિબોધ’ પમાડેલ એજ ગ્રંથકાર કહેવાની ઇચ્છા ધરાવે છે.