________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૩)
શ્રી અને સરસ્વતીનું ધામ પાટણ
પ્રા. મુફદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય બે યાદગાર પ્રસંગો :
પાટણના ઇતિહાસમાં એ દિવસ સુવર્ણાક્ષરે લખાયેલો છે. જે દિવસે સિદ્ધરાજ જયસિંહે “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામનું ગ્રંથનું બહુમાન કર્યું. બરાબર એવો જ એક મહાન દિવસ અવચિીન પાટણ માટે તા. ૩-૮-૧૯૮૬ને રવિવારનો હતો જે દિવસે પાટણમાં “ઉત્તર ગુજરાત યુનિવર્સિટી”નો શુભારંભ થયો. પહેલો પ્રસંગ
માળવાના ભોજવ્યાકરણ” ને ટપી જાય, તેને ઝાંખું પાડી દે તેવું વ્યાકરણ રચવા સિદ્ધરાજે આચાર્યશ્રી હેમચંદ્રને વિજ્ઞપ્તિ કરી અને તમામ પ્રકારની સામગ્રી ગ્રંથો કાશ્મીરથી મંગાવી આપ્યા. સિદ્ધરાજની ઇચ્છા અને વિનંતીને વશ થઇ, આચાર્ય હેમચંદ્ર વિક્રમ સંવત ૧૧૯૨ માં એક સર્વાગી સંપૂર્ણ વ્યાકરણની રચના કરી. તેને “સિદ્ધહેમ શબ્દાનુશાસન' એવું નામ આપ્યું. આ વ્યાકરણની રચનાથી સિદ્ધરાજ અતિ પ્રસન્ન થયો. આવી મહાન કૃતિ અને તેના કર્તાનું બહુમાન કરવાનો સિદ્ધરાજે નિર્ણય કર્યો. આચાર્ય હેમચંદ્ર કાવ્ય, વ્યાકરણ, અલંકાર, ન્યાય, છંદ, યોગ, નામકોશ, વૈદિક તથા ચારિત્ર કથા જેવા તમામ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ગ્રંથો લખેલા છે.
પરંતુ સિદ્ધરાજ જયસિંહે શ્રી હેમચંદ્રાચાર્યની રચનાનું વિશિષ્ટ રીતે બહુમાન કર્યું. લગભગ ૮૫૦ (સાડા આઠસોહ) વર્ષ પહેલા એટલે કે વિક્રમ સંવત ૧૧૯૨માં આ પ્રસંગને લોકોત્સવ બનાવ્યો. સમગ્ર અણહિલપુર પાટણ શણગારવામાં આવ્યું. તમામ રાજમાર્ગો ઉપર તોરણ ધજાપતાકા બાંધવામાં આવ્યા. દોશીડા, મણીયારા અને ઝવેરીઓએ પોતપોતાના બજારો શણગાર્યા. પાટણના ઉંચા મહાલયો અને પ્રાસાદોને સુશોભિત કરી રંગોળી પૂરેલ છે. રાજમાર્ગો ઉપર સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કરવામાં આવ્યો.
સિદ્ધરાજે દાંડી પીટાવી પ્રજાને જાણ કરી હતી કે આજે ગુર્જરનરેશ પોતે જાતે શ્રી હેમચંદ્રાચાર્ય રચિત મહાન કૃતિ “સિદ્ધહેમ'વ્યાકરણગ્રંથને પોતાના માનિતા શ્રીકર નામના હાથી પર સોનાની અંબાડીમાં પધરાવી સવારી રૂપે નગરમાં ફેરવી બહુમાન કરવાના છે. વડોદરાની ગાયકવાડ સરકારની, જયપુરના રાજાઓની વગેરે દેશી રજવાડાઓની હાથીની સવારીઓ જેને જોઇ છે તેને આ સવારીની જલ્દીથી ઝાંખી થશે. પાટણ એ શ્રી અને સરસ્વતીનું ધામ બન્યું. અર્થાત્ પાટણમાં લક્ષ્મીનંદનો અને વિદ્યાધરો સાથે રહેવા લાગ્યા.
આ શુભ દિવસે સવારીની આગળ નિશાન કંકા શોભતા હતા. પાટણના મહાજનો રેશમી વસ્ત્રોમાં માથે પટણી પાઘડીઓ પહેરી મહાલતા હતા. સન્નારીઓ પાટણના ફાટે પણ ફીટે નહિ તેવા